વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયેલ છે. ત્યાં બીજી બાજુ માલસામાનને પણ વધારે નુકસાન થયેલ છે. ગૃહ મંત્રાલયનાં રિપોર્ટને અનુસાર પૂર અને ભારે વરસાદને કારણોસર અત્યાર સુધી 774 લોકોનાં મોત થઇ ગયાં છે. પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ત્યાંની સ્થિતિ પણ બગડી રહી છે. ગૃહ મંત્રાલયનાં નેશનલ ઇમરજન્સી રિસ્પાંસ સેન્ટર (એનઇઆરસી)નાં અનુસાર પૂર અને વરસાદને કારણ કેરલમાં 187, ઉત્તર પ્રદેશમાં 171, પશ્ચિમ બંગાળમાં 170 અને મહારાષ્ટ્રમાં 139 લોકોનાં મોત નિપજ્યાં છે. આંકડાઓમાં એવું કહેવામાં આવેલ છે કે ગુજરાતમાં 52, અસમમાં 45 અને નાગાલેન્ડમાં 8 લોકોનાં મોત થયાં છે. કેરલમાં 22 અને પશ્ચિમ બંગાળમાં 5 લોકો લાપતા છે. રાજ્યોમાં વરસાદ સાથે જોડાયેલ દુર્ઘટનાઓમાં 245 લોકો ઘાયલ છે. વરસાદ અને પૂરની અસરથી મહારાષ્ટ્રનાં 26, અસમનાં 23, પશ્ચિમ બંગાલનાં 22, કેરલનાં 14,ઉત્તર પ્રદેશનાં 12, નાગાલેન્ડનાં 11 અને ગુજરાતનાં 10 જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત થયાં છે. અસમમાં NDRFની 15, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આઠ-આઠ, ગુજરાતમાં સાત, કેરલમાં 4, મહારાષ્ટ્રમાં 4 અને નાગાલેન્ડમાં એક ટીમને તૈનાત કરવામાં આવેલ છે. એવામાં રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારનાં રોજ વાતાવરણ પણ વધારે ખુશનુમા રહ્યું હતું. શહેરમાં દિવસનું તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું કે જે સામાન્ય તાપમાનથી 2 ડિગ્રી ઓછું કહેવાય. હિમાચલમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયાં છે. કાલકા-શિમલા હાઇ-વે પર ચક્કી મોડ અને તમ્બુ મોડ પાસે ભુસ્ખલન થવાંને કારણ હાઇ-વે બંધ થઇ ગયેલ છે. હમીરપુર જિલ્લાનાં દરેક સરકારી અને નજીકની સ્કૂલોને બંધ કરવાનાં આદેશ આપવામાં આવેલ છે


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.