પાલક-મેથી ભૂલી જશો! સરગવાના પાનથી બનાવો ‘ખસ્તા પરાઠા’, ફટાફટ નોંધી લો રેસિપી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

સરગવાના પાનમાંથી બનાવો ખસ્તા પરાઠા, પાલક-મેથીના પરાઠા કરતાં પણ વધુ ટેસ્ટી, ફટાફટ નોંધી લો રેસિપી

નાસ્તામાં પરાઠા ખાવા લોકોને પસંદ હોય છે. પાલક-મેથીના પરાઠા તો તમે ઘણીવાર ખાધા હશે, પરંતુ એકવાર સરગવાના પાનમાંથી ખસ્તા પરાઠા બનાવીને જરૂર ખાઓ. ફટાફટ નોંધી લો રેસિપી.

સરગવાને (સહજન) સ્વાસ્થ્ય માટે શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. પીએમ મોદીથી લઈને ઘણા બોલિવૂડ સેલેબ્સ પોતાના ડાયટમાં તેનો સમાવેશ કરે છે. સરગવાને મોરિંગા કહે છે, તેની શીંગો, પાંદડા અને છાલ દરેક વસ્તુનો ઉપયોગ થાય છે. સરગવામાં વિટામિન B12, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. તેના પાંદડામાં પોષક તત્વોનો ભંડાર છે. સરગવાના પાનમાંથી તમે સ્વાદિષ્ટ પરાઠા બનાવીને ખાઈ શકો છો. મોરિંગા એટલે કે સરગવાના પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને ખાવાથી શરીરને ભરપૂર પોષણ પણ મળે છે. જાણો સરગવાની રોટલી કે પરાઠા કેવી રીતે બનાવવા?

paratha1

સરગવાના પરાઠા બનાવવાની રેસિપી

પહેલું સ્ટેપ:

પરાઠા બનાવવા માટે તમે તાજા લીલા સરગવાના પાંદડા તોડી લો. પાંદડાને પાણીથી ધોયા પછી મેથી-પાલકની જેમ જ બારીક સમારી લો. હવે તેમાં ધાણાના પાન, બારીક સમારેલા લીલા મરચાં, જીરું, કાળા મરીનો પાઉડર, તલ, હળદર પાઉડર, આમચૂર પાઉડર ઉમેરો. હવે તેમાં બેસન, ઘઉંનો લોટ અને મીઠું મિક્સ કરીને લોટ તૈયાર કરી લો.

બીજું સ્ટેપ:

લોટને સેટ થવા માટે થોડીવાર ઢાંકીને રાખો. હવે તેમાંથી લૂઆ લઈને ગોળ કે થરવાળા પરાઠા તૈયાર કરી લો. ઘી લગાવીને પરાઠા બનાવી લો. તમે ઇચ્છો તો તેની રોટલી પણ બનાવી શકો છો. રોટલીને ઘી લગાવ્યા વગર તવા પર જ શેકી લો. જો તમને કાપેલા પાનવાળા પરાઠા પસંદ ન હોય તો સરગવાના પાંદડાને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં લોટ ગુંદીને પરાઠા બનાવી લો. તમે આ લોટમાંથી પૂરીઓ પણ બનાવીને ખાઈ શકો છો.

paratha

ત્રીજું સ્ટેપ:

શિયાળામાં તમારે આ રીતે રોજ સરગવાના પાંદડાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. બાળકો અને વૃદ્ધોને સરગવાનું શાક, શીંગોનો સૂપ કે સરગવાના પાનનો પરાઠા બનાવીને જરૂર ખવડાવો. તેનાથી તેમના શરીરને ભરપૂર પોષણ મળશે અને શક્તિ આવશે. શરીરને જરૂરી વિટામિન મળશે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.