Bharuch: સુરતની મુલાકાતે આવેલા અને બારડોલીમાં સિદ્વાર્થ ચૌધરીના પ્રચાર માટે જઈ રહેલા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સુરતમાં પત્રકારો સાથે વાત કરી હતી. અને કેટલાક સવાલોના જવાબો આપ્યા હતા. આ જવાબોમાં તેમણે સીધી રીતે ભરુચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરવાની જાહેરાત કરીને કોંગ્રેસ સહિત આપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. મુમતાઝ પટેલે ભરુચ લોકસભા માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી હતી પણ ઈન્ડિયા ગઠબંધનનાં ફાળે આ સીટ આમ આદમી પાર્ટી પાસે ગઈ છે અને ચૈતર વસાવા ઉમેદવાર છે..
તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે કામ કરી રહી છું અને કોંગ્રેસના જે જે ઉમેદવારોએ બોલાવ્યા છે તેમના પ્રચાર માટે ગઈ છું.
ચૈતર વસાવાને કદાચ મારી જરુર નથી. ટિકિટની જાહેરાત પહેલાં તેમની સાથે મુલાકાત થઈ હતી ત્યાર બાદ તેમની સાથે કોઈ મુલાકાત થઈ નથી. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ગઠબંધનનાં ઉમેદવાર માટે કામ કરી રહ્યા છે અને આપ પાર્ટી ભરુચમાં સારું કામ કરી રહી છે.
મુમતાઝ પટેલ સુરતની હોટલમાં પત્રકારોને કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વાણી વિલાસ કરતાં પહેલા વિચારવું જોઈએ. ચૂંટણીના નિવેદનોમાં સમજી વિચારીને નિવેદનો આપવા જોઈએ.મહાત્મા ગાંધી વૈશ્વિક નેતા છે અને રાહુલ ગાંધી દેશના નેતા છે. મહાત્મા ગાંધી તેમની જગ્યાએ છે અને રાહુલ ગાંધી તેમની જગ્યાએ છે.
મુમતાઝે ભરુચ સીટને લઈને કહ્યું કે ભરૂચ સીટ માટે કોઈ પ્રચાર કર્યો નથી.પહેલી વાર એવું થશે કે કોંગ્રેસ માટે વોટ કરવાનું મળશે નહીં.કોંગ્રેસે આ સીટ પર લડવાનું હતું પણ નહીં લડી તે દુઃખની બાબત છે.
ચૈતર વસાવા અંગે તેમણે કહ્યું કે મને ચૈતર વસાવા માટે પ્રચાર માટે બોલાવાયા નથી
અને હું પણ ગઈ પણ નહીં અને હવે પછી ચૈતર વસાવા માટે પ્રચાર કરશે નહીં ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી, હું એક મહિના થી ભરૂચ ગઈ નથી. કદાચ ચૈતર વસાવાને મારી જરૂર નથી.
આ ઉપરાંત તેમણે PM મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વોટ જેહાદ જેવા શબ્દોનો પ્રયોગ કરવો અયોગ્ય છે. જેહાદ શું છે તે પેહલા સમજવાની જરુર છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિવેદન બાબતે જે વાત હાલના વડાપ્રધાને કરી છે તે બિલકુલ ખોટી છે.