Rashmi Desai: જૂની યાદોને તાજી કરતા Rashmi Desai કહ્યું કે છૂટાછેડા પછી એક એવો સમય આવ્યો જ્યારે તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા અને કરોડોનું દેવું થઈ ગયું હતું, જેના કારણે તેણે થોડા દિવસો સુધી રસ્તા પર રહેવું પડ્યું હતું.
રશ્મિ દેસાઈ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. એક સમય હતો જ્યારે રશ્મિ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. રશ્મિએ ઘણી સિરિયલો, મ્યુઝિક વીડિયો અને શોમાં કામ કર્યું છે. બિગ બોસની 13મી સીઝનથી તેને નામના મળી હતી. આ શોમાં તેણે ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશ્મિ દેસાઈને માત્ર અંગત જીવનમાં જ નહીં પરંતુ વ્યાવસાયિક જીવનમાં પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેણે છૂટાછેડા પછી તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે ખુલાસો કર્યો છે.
છૂટાછેડા પછી અભિનેત્રી કરોડોના દેવામાં ડૂબી ગઈ હતી
પારસ છાબરાના પોડકાસ્ટ દરમિયાન, રશ્મિ દેસાઈએ તે સમયની યાદ અપાવી જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તે દિવસમાં એક વખત ખાવા માટે પણ સંઘર્ષ કરતી હતી. દર્દનાક કહાની શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું, ‘આ 2017માં હતું જે મારા જીવનનો અંધકારમય તબક્કો હતો.’ પતિથી અલગ થયા બાદ તે આર્થિક રીતે નબળી પડી ગઈ અને તેના પર કરોડોનું દેવું થઈ ગયું, જેની તેના પર ખૂબ જ ખરાબ અસર પડી.
રશ્મિ પાસે નહોતું ઘર અને ખાવા માટે પૈસા .
અભિનેત્રી રશ્મિએ વધુમાં જણાવ્યું હતું કે તે ખૂબ જ મૂંઝવણમાં હતી કે શું કરવું અને કેવી રીતે લોન ચૂકવવી, પરંતુ બાદમાં તેને સીરિયલ ‘દિલ સે દિલ તક’ મળી. જો કે સંઘર્ષથી સફળતા સુધીની આ સફર પણ ઘણી સુંદર હતી. બાદમાં તેણે ‘બિગ બોસ 13’માં ભાગ લેવાનું નક્કી કર્યું. તે જ ઈન્ટરવ્યુમાં રશ્મિએ જણાવ્યું કે તે ચાર દિવસ સુધી રસ્તા પર રહી અને 20 રૂપિયાનું ભોજન ખાધું. રશ્મિએ જણાવ્યું કે રિક્ષાચાલકો માટે ફૂડ પેકેટમાં આવતું હતું, જેમાં ચોખા, દાળ અને 2 રોટલા હતા અને ઘણીવાર ફૂડમાં કાંકરા પણ હોય છે. તેણે જણાવ્યું કે તે સમયે તેનો તમામ સામાન તેના મેનેજરના ઘરે હતો.
રશ્મિ દેસાઈના તૂટેલા લગ્ન
તમને જણાવી દઈએ કે રશ્મિ ના લગ્ન નંદિશ સિંહ સંધુ સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા હતા. એક ઈન્ટરવ્યુમાં રશ્મિએ કહ્યું હતું કે તેના પહેલા લગ્ન તૂટ્યા બાદ તે સંપૂર્ણપણે પરેશાન હતી અને બાદમાં તેને સમજાયું કે લગ્ન કરવાનો નિર્ણય તેની સૌથી મોટી ભૂલ હતી. ‘બિગ બોસ 13’ના ઘરમાં રશ્મિ એક બિઝનેસમેન અરહાન ખાન સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ તે સંબંધ પણ થોડા સમય પછી ખતમ થઈ ગયો.