- અમદાવાદમાં ફેક્ટરીને સીલ લગાવીને ખોલી નાંખવાનો કાળો કારોબાર
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
Gujarat: પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ મળી છે. સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
Gujarat છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતા
ઉધ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ગુજરાતમાં 2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશમાં 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે.
પ્રદુષિત પાણી છોડતા તેમજ બી.યુ. પરમીશન અને ફાયર એન.ઓ.સી.ના હોય તેવા તમામ ઔદ્યોગિક એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. લાંભા વોર્ડમાં સીલ કરવામાં આવેલા કારખાનાને ગણતરીના દિવસોમાં જ સીલ ખોલવામાં આવ્યા હતા.
એક કોર્પોરેટરે ગુપ્તા સિન્થેટિક કેમિકલયુક્ત પાણી છોડી રહી હોવાની ફરિયાદ કરી હતી. અગમ્ય કારણોસર ફેક્ટરી ને રૂ.2 લાખનો દંડ કરી સીલ ખોલવામાં આવ્યા હતા. અધિકારીની ભૂમિકા વિવાદાસ્પદ છે.
ફરિયાદી કોર્પોરેટર અને વોર્ડના ઉચ્ચ અધિકારીના દબાણના કારણે લેબ તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી. અધિકારીઓ પી.એચ. બરાબર હોવાનું રટણ કરે છે.
સૌથી વધુ ફરિયાદ મળી હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે.
2023-24માં ઉત્તર પ્રદેશ 87, ગુજરાત 68 સાથે બીજા, મહારાષ્ટ્ર 61 સાથે ત્રીજા, દિલ્હી 56 સાથે ચોથા, જ્યારે પશ્ચિમ બંગાળ 38 સાથે પાંચમા સ્થાને છે.
એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીમાંથી 2022-23માં 10 ફરિયાદ ગુજરાતમાંથી મળી હતી. જેમાંથી 6 ટેક્સ્ટાઇલ, 3 કાગળ, જ્યારે 1 સુગર ઇન્ડસ્ટ્રીની હતી. 2023-24માં 5 ફરિયાદ ટેક્સ્ટાઇલમાંથી મળી હતી. 2023-24માં કુલ 8 ફરિયાદ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીમાંથી સીપીસીબીને મળી છે. જેમાં ટેક્સ્ટાઇલમાંથી 7નો સમાવેશ થાય છે.
છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની ફરિયાદો
- અતુલ લિ. વલસાડ (23મી એપ્રિલ 2024),
- માદાજી ટ્રેડર્સ (23મી માર્ચ 2024),
- આઇઓસીએલ નંદેસરી (એપ્રિલ 2024),
- જગન્નાથ હેલોજન્સ (જૂન 2024),
- ઓનેઇરો લાઇફકેર લિ. (29મી ફેબ્રુઆરી 2024),
- ઓરિએન્ટલ એરોમિક લિ. નંદેસરી જીઆઇડીસી વડોદરા (30મી જાન્યુઆરી 2024),
- દીપક નાઇટ્રાઇટ લિ. નંદેસરી જીઆઇડીસી વડોદરા (30મી જાન્યુઆરી 2024),
- ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી વિલાયેત પ્લાન્ટ ગ્રાસીન (15મી જાન્યુઆરી 2024),
- દીપક નાઇટ્રાઇટ લી., 16મી મે 2023),
- ઓએનજીસી પાઇપલાઇન (આઠમી જૂન 2023),
- કોરોમંડલ સરીગામ વલસાડ (13મી માર્ચ 2023),
- કેશવકુંજ ઇન્ડસ્ટ્રી (28મી જૂન 2023),
- અર્ચેન કેમિકલ (ઑગસ્ટ 2023),
- નવિન ફુલુરિન સુરત (ઑક્ટો 2023),
- યશ કેમેક્સ વટવા (ફેબ્રુઆરી 2023),
- જીએસપી સાયન્સ પ્રા. લિ. (23મી સપ્ટે. 2022),
- નંદેસરી ફર્ટિલાઇઝર (18મી ઑક્ટોબર 2022),
- ઈશાન ડાઇઝ એન્ડ કેમિકલ (17મી નવે. 2022),
- પનોલી ઈન્ટરમીડિયેટ (10મી જૂન 2021,
વિજિલન્સ કમિશન
11,226 ફરિયાદ તકેદારી આયોગને મળી હતી જેમાં શહેરી વિકાસ વિભાગ વિરુદ્ધ સૌથી વધુ 2,659 ફરિયાદો મળી છે. બીજા ક્રમે 1,603 મહેસૂલ વિભાગ, પોલીસ ત્રીજા ક્રમે હોય છે.
બોર્ડ અને નિગમોમાં સૌથી વધુ 170 ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ છે. બીજા ક્રમે PGVCL વિરુદ્ધ 92 ફરિયાદ અને જીઆઇડીસી ત્રીજા ક્રમે છે.