અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકાર્પણ કરશે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે. તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. તો દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ ઉભી કરાશે.
તમને જણાવી દઇએ કે, મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદ શહેરમાં આગમન થઇ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનના આ ત્રણ કોચ શનિવારે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને ત્યાથી એક ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ ત્રણ કોચને એપરલ પાર્કમાં એસેમ્બલ કરવામાં આવશે અને એસેમ્બલ કરાયાબાદ ડેપોમાં કોચની ચકાસણી કરવામાં આવશે.
આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના જે 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામા આવેલા છે તેને જોડવામાં આવશે અને પછી આ ત્રણેય કોચને જોડ્યાબાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.