Sajid Kothari: પોરબંદર જેલમાં સુરતના ડોનની ઈડીની તપાસ, પોરબંદરની જેલમાં બંધ ડોન સજ્જુએ લોકોને ડરાવી ધમકાવીને સ્થાવર મિલકતો ભેગી કરી હતી.
રૂ. 4.29 કરોડની 31 સ્થાવર મિલકત ED -એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા 28 માર્ચ 2024માં ટાંચમાં લેવામાં આવી હતી. 31 મિલકત જપ્ત કરી હતી. ED એ મની લોન્ડરીંગનો ગુનો દાખલ કર્યો હતો. સજ્જુએ પોરબંદરની જેલમાં ઈડીના અધિકારીઓ સાથે સારું વર્તન કર્યું ન હતું. તેથી તે વધારે આક્રમક બન્યા હતા.
પોરબંદરની જેલમાં તેની પૂછપરછ એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં મિલકતોમાં તેની સાથે અનેક લોકો ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે.
પોરબંદર જેલમાં સજ્જુની સ્ફોટક પૂછપરછ
પોરબંદર જેલમાં સજ્જુ કોઠારીની સુરત પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની તપાસમાં અનેક વ્હાઇટ કોલર નામ સામે આવ્યા હતા. જે સજ્જુ સાથે ભાગીદાર હતા. ઈડીએ આ વિગતો આજ સુધી માહિતી આપી નથી. તપાસ ઊંડાણપૂર્વક કરે તો અનેક મોટા માથાના નામ સામે આવી શકે તેમ છે. ઘણાં નામો જાહેર થયા હતા. જેમાં એક અસ્માજિક વ્યક્તિનું નામ પણ સજ્જુએ આપ્યું હતું. જેની સાથે તે ભાગીદાર તો હતો જ પણ તે સજ્જુનો ગુરૂ પણ છે. અને આ વ્યક્તિ ગુજરાત ભાજપના સૌથી ટોચના નેતા છે, હવે પ્રધાન પણ બન્યા છે. તેને ટેકો તેમના ગુરુને મળતો ગુરૂ સજ્જુને કામ સોંપતા હતા. આમ ભાજપના પણ કામ નીકળી જતા હતા.
પણ આ બધી વિગતો પોરબંદર જેલની બહાર આવી નથી. જો આ વિગતો બહાર આવે તો દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાએ રાજીનામું આપવું પડે એવી સ્ફોટક છે.
જેલથી ગુનો
સુરતના અડાજણમાં રહેતા વેપારીના ઘરમાં ઘુસી જાનથી મારી નાંખવાની ધમકી સજુ કોઠારી ગેંગના સભ્યો દ્વારા આપવામાં આવી હતી. સજ્જુ કોઠારી, તેનો ગેમ્બલર ભાઈ આરીફ કોઠારી સહિત ગેંગના અન્ય સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરીફના ઈશારે અસગર બાગવાલા, અશરફ કોઠારી, અહદ બાગવાલા વેપારીના ઘરે પોહચી ગયા હતા. સમાધાન નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ખર્ચના અઢી લાખની માંગણી કરી હતી.