લોકસભામાંથી ૧૦ ટકા સવર્ણ અનામત બીલ ને પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં થી પાસ કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ગઇકાલે ૩૨૪ વોટ બીલની તરફેણમાં પાડયા હતા. જ્યારે રાજ્યસભામાં બીલને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ ફગાવાઈ હતી. જ્યારે બીલને પાસ કરવામાં આવતા પહેલાં મતદાન કરાયું હતું.
નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે આજે રાજ્યસભામાં વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું અને રાત્રે સાડા દસ વાગ્યે બીલને મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોવાથી આસાનીથી પાસ થઈ ગયુ. રાજ્યસામાં હાલ સાંસદોની સંખ્યા 244 છે. બિલ પસાર કરવા માટે બે તૃત્યાંશ સાંસદો એટલે કે 163 મતની જરૂર હતી.કોંગ્રેસ, સપા સહિતના વિપક્ષોએ બીલને સમર્થન આપ્યું હતું.
રાજ્યસભામાં એનડીએ અને બિલનું સમર્થન કરી રહેલા વિપક્ષી સાંસદોની સંખ્યા 162 થાય છે. 13-13 સાંસદો વાળી તૃણમૂલ, અન્નામુદ્રક અથવા બીજેડી ટીઆરએસમાંથી કોઈ એક સાંસદનું સમર્થન મળે તો આ વિધેયક રાજ્યસભામાં પસાર થઈ શકે તેમ છે. જોકે વિપક્ષી પાર્ટીઓએ લોકસભામાં ચૂંટણી નજીક હોવાથી આ બીલ લાવવા પર સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ રાજ્યસભામાં વિપક્ષોએ સમર્થન આપતા મોદી સરકાર માટે આ બીલને પસાર કરવાની રાહ આસાન બની હતી.