તલ, મગ, ચણા અને શાકભાજીના વધતા ભાવોથી ખેડૂતોમાં પ્રસન્નતા
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસી વિભાગમાં ઘઉં, ચણા, કાળા તલ, ડુંગળી અને મગના પાકની નોંધપાત્ર આવક જોવા મળી હતી. શાકભાજીમાં ટામેટા અને બટાકા સૌથી વધુ માત્રામાં આવ્યાં હતા. રોજબરોજ સારાં ભાવ મળતા હોવાથી રાજકોટની સાથે આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક લઈને અહીં પહોંચે છે. બજારમાં વધતી આવક અને સતત ચાલતી ખરીદીથી વેપારમાં પણ ચહલપહલ જોવા મળે છે.
ઘઉં, તલ અને સોયાબીનના ભાવોમાં સ્થિર વધારો નોંધાયો
માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 1,700 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 90 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંને 518થી 638 રૂપિયા પ્રતિ મણ અને લોકવન ઘઉંને 517થી 561 રૂપિયા પ્રતિ મણ ભાવ મળ્યો હતો. કાળા તલની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેમાં ખેડૂતોને 3,460થી 5,134 રૂપિયા પ્રતિ મણના ઉત્તમ ભાવ મળ્યા હતા. તલ સાથે તલીના પાકની 1,250 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને તેનું વેલ્યુએશન 1,975થી 2,251 રૂપિયા પ્રતિ મણ રહ્યું હતું. સોયાબીનની 1,640 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ભાવ 862થી 905 રૂપિયા પ્રતિ મણ મળ્યો હતો.
મગ અને ચણાના પાકમાં પણ સારી આવક અને ભાવ મળ્યા
યાર્ડમાં મગના પાકની 700 ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં ખેડૂતોને 1,100થી 1,650 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. સાથે જ પીળા ચણા અને સફેદ ચણાના પાકની આવક પણ ખરીદીમાં ઉમેરાઈ હતી. પીળા ચણાની 440 ક્વિન્ટલ અને સફેદ ચણાની 800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. પીળા ચણાને 915થી 1,100 રૂપિયા પ્રતિ મણ અને સફેદ ચણાને 1,141થી 1,822 રૂપિયા પ્રતિ મણના ભાવ મળ્યા હતા, જે ખેડૂતો માટે એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે.
ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવોમાં સુધારો, શાકભાજીમાં ચેતનાનો માહોળ
રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની 2,870 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ભાવ 45થી 170 રૂપિયા પ્રતિ મણ વચ્ચે રહ્યા હતા. બટાકાની 4,080 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને 248થી 553 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. ટામેટાની 1,321 ક્વિન્ટલ આવક થઈ અને તેનું વેલ્યુએશન 561થી 1,021 રૂપિયા પ્રતિ મણ રહ્યું હતું. વધતા ભાવ અને સ્થિર આવકને કારણે શાકભાજી વિભાગમાં વેપારનો માહોલ વધુ સક્રિય બન્યો છે.

