નવી દિલ્હી : ભારતીય ટીમના માજી ઓપનર વિરેન્દ્ર સેહવાગનું ઍવું માનવું છે કે અમ્પાયર ઉલ્લાસ ગાંધે સાથે મેદાન પર વિવાદ કરવા દોડી ગયેલા મહેન્દ્ર સિંહ ધોનીને સાવ સસ્તામાં છોડી મુકાયો છે. ખરેખર તો તેના પર 2-3 મેચનો પ્રતિબંધ લાદીને ઍક દાખલો બેસાડવાની જરૂર હતી. ધોની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન અમ્પાયરના ઍક નિર્ણયનો વિરોધ કરવા ડગ આઉટમાંથી મેદાન પર દોડી ગયો હતો અને તેને માત્ર 50 ટકા મેચ ફીનો દંડ કરાયો હતો.
ધોનીની આ હરકતની લગભગ તમામ ક્રિકેટરોઍ ટીકા કરી છે, જો કે સેહવાગ ભારતનો ઍવો પહેલો મોટો ક્રિકેટર છે જેણે આ મામલે સસ્પેન્શનની વાત કરી છે. સેહવાગે ઍક વેબસાઇટ પર જણાવ્યું હતું કે મને લાગે છે કે ધોનીને સરળતાથી છોડી દેવાયો. તેના પર તો 2-3 મેચનો પ્રતિબંધ લાદવાની જરૂર હતી. કારણકે તેણે આજે આવું કર્યુ છે તો આવતીકાલે બીજા ક્રિકેટર આવું કરી શકે છે. ઍ સ્થિતિમાં અમ્પાયરનું મહત્વ શું રહેશે. તેણે કહ્યું હતું કે ધોનીને આઇપીઍલની કેટલીક મેચો માટે સસ્પેન્ડ કરી દેવાની જરૂર હતી, કે જેનાથી દાખલો બેસાડી શકાય. સેહવાગના મતે મેદાન પર દોડી આવવાને બદલે ધોનીઍ ચોથા અમ્પાયર સાથે વોકીટોકીની મદદથી વાત કરવાની જરૂર હતી.
