ગુમ થયાના એક દિવસ બાદ દેશની સૌથી મોટી કોફી ચેઇન કાફૅ કાફી ડૅના માલિક વી.જી. સિદ્ધાર્થ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થ કોફી ડૅ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વી.જી. સિદ્ધાર્થ પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને વર્તમાન બીજેપી નેતા એસ.એમ. કિષ્નાના જમાઈ છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક માછીમારોએ નદીમાંથી વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસને મેગલુરુના હોઇગ બજાર પાસે આવેલી નેત્રાવતી નદીના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ સોમવારે સાંજે રહસ્યમય પરિસ્થિતિમાં લાપતા થયા હતા. પોલીસકર્મીઓ, તરવૈયાઓ અને માછીમારો સહિત લગભગ 200 લોકો તેની શોધખોળમાં લાગ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ સોમવારે બપોરે બેંગલુરુથી હાસન જિલ્લામાં સક્લેશપુર માટે રવાના થયા હતા. જોકે, અડધે રસ્તે તેણે પોતાના ડ્રાઇવરને મેંગલુરુ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અંતે સોમવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાની નેત્રાવતી નદીના પુલ પર જોવા મળ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે તેમણે પોતાના ડ્રાઇવરને કહ્યુ હતુ કે તેઓ પુલ નજીક ટહેલવા માટે જઈ રહ્યા હતા. તેઓ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. સિદ્ધાર્થના ડ્રાઇવર બસવરાજ પાટિલના કહેવા પ્રમાણે, “સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર એવું કહીને કાર નીચે ઉતર્યા હતા કે તેઓ થોડા સમય માટે અહીં ફરવા માંગે છે. તેમણે મને પુલના બીજા છેડે ઉભા રહેવાનું કહ્યું હતું. એક કલાક સુધી તેઓ પરત ન ફરતા મેં પોલીસને જાણ કરી હતી.”
સામે આવ્યો પત્ર