દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIના ડેબિટ કે એટીએમ કાર્ડ આવનારા દિવસોમાં બેકાર થઇ જશે. SBIના ચેરમેન રજનીશ કુમારે તેના સંકેત આપ્યા છે. SBIના ચેરમેને કહ્યું કે અમે ડેબિટ કાર્ડને ચલણથી બહાર કરવા માગીએ છીએ. અમે આ વાતને લઇને આશ્વસ્થ છીએ કે તેને ચલણમાંથી બહાર કરી શકાય તેમ છે. તેવામાં હવે સવાલ એ છે કે ડેબિટ કાર્ડ બંધ થવાની સ્થિતિમાં ગ્રાહક એટીએમ મશીનથી કેશ કેવી રીતે ઉપાડી શકશે. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ…

હકીકતમાં એસબીઆઇ ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે બેન્ક ડેબિટ કાર્ડ મુક્ત દેશ બનાવવામાં ‘યોન’ એપ સૌથી મોટી ભુમિકા નિભાવશે. તેનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં યોનો એપ દ્વારા કેશ ઉપાડી શકાશે.

કેવી રીતે યુઝ કરશો
તેના માટે તમારા ફોનમાં એસબીઆઇની યોનો એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તે બાદ યોનો એપની યોનો કેશ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. આ કેટેગરી ખુલતાં જ તમારી પાસે અમાઉન્ટની જાણકારી લેવામાં આવશે. તેનો અર્થ એ છે કે એટલી એમાઉન્ટ એન્ટર કરવાની રહેશે જેટલાની તમારે જરૂર છે.

તે પછીના સ્ટેપમાં તમારે 6 ડિજિટનો ટ્રાન્જેક્શન પિન સિલેક્ટ કરવાનો છે. આ પિનની જરૂરિયાત એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પડશે. આ ઉપરાંત તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. આ મેસેજમાં એક ટ્રાન્જેક્શન નંબર હશે.

તે બાદ તમારે એસબીઆઇના નજીકના ‘યોનો કેશપોઇન્ટ’ એટીએમ પર જવાનુ રહેશે. અહી એટીએમ સ્ક્રીન પર યોનો કેશ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તેને સિલેક્ટ કર્યા બાદ તમારી પાસે ટ્રાન્જેક્શન નંબર માગવામાં આવશે. તેવામા તમારા મેસેજ દ્વારા મળેલા ટ્રાન્જેક્શન નંબરને એન્ટર કરવાનો રહેશે.

તે પછી અમાઉન્ટ ટાઇપ કરીને યોનો એપમાં સિલેક્ટ 6 ડિજિટનો પિન એન્ટર કરવાનો છે. પિન નાંખ્યા બાદ તમને કેશ મળી જશે. ગ્રાહકે પિન અને ટ્રાન્જેક્શન નંબર બંનેની મદદથી આગામી 30 મિનિટમાં આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. તે બાદ આ નંબર અમાન્ય થઇ જશે.