Gujarat: ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે પગલાં, તમામ કામદારો માટે ID ચેક ફરજિયાત બનશે
Gujarat સરકાર દ્વારા હવે તમામ ક્ષેત્રે કામ કરતા કામદારોની ઓળખને વેરિફાઈ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) તૈયાર કરવામાં આવી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ તથા રાજ્યરમાં ઈલ્લીગલ ઈમિગ્રેશન પર ચાલી રહેલી તવાઈ વચ્ચે ગુજરાત સરકારે સતર્ક બની ગઈ છે અને સુરક્ષા વ્યચવસ્થાા વધારે સઘન કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા હવે કામદારોની ઓળખને વેરિફાઈ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) તૈયાર કરવામાં આવી રહી છે, તેમ ગૃહ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યુંં હતું.રિપોર્ટ પ્રમાણે તમામ વર્કર્સને તેમના આઈડી ડોક્યુમેન્ટની કોપી પોલીસને સબમિટ કરવા પડી શકે છે, અથવા તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે, જે વર્કર્સ બનાવટી કે નકલી ડૉક્યુમેન્ટ પૂરા પાડશે તો એમ્પલોયર્સ જવાબદાર રહેશે નહીં.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાનની દુકાનથી લઈને લેબર કોન્ટ્રા ક્ટોર્સ તથા ઘરમાં નોકર રાખનારા સહિત તમામ એમ્પલોયર્સને SOP હેઠળ આવરી લેવામાં આવશે. મંગળવારે ગૃહ રાજ્યા મંત્રી હર્ષ સંઘવીએ ટોચના પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી જેમાં કમિશનર અને જિલ્લા સુપ્રિન્ટેડન્ટ્સ પણ સામેલ હતા.
હાલમાં જ સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા જે ઈલ્લીગલ ઈમિગ્રન્ટને શોધી કાઢવામાં આવ્યાે હતા તેમાંથી મોટા ભાગના લોકો વર્ષોથી ગુજરાતમાં રહેતા હતા, જેનો મતલબ છે કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે કંઈકને કંઈક કામ-ધંધો કરતા હતા. તેથી હવે એમ્પલોયર્સ માટે તમામ વર્કર્સના આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ જેવા આઈડેન્ટિેટી ડૉક્યુમેન્ટ એકત્રિત કરવી ફરજિયાત રહેશે. તેમણે આ ડૉક્યુમેન્ટ નો રેકોર્ડ રાખવો પડશે અને તેની કોપી નજીકના પોલીસ સ્ટેાશનને આપવી પડશે, તેમ ગૃહ વિભાગના એક ટોચના અધિકારીએ જણાવ્યુંપ હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નવી ગાઈડલાઈન્સએ અંગેની સૂચનાઓ તમામ કમિશનરેટ્સ અને જિલ્લા પોલીસ સુપ્રિડેન્ટેન્ટન્ટ મોકલી દેવામાં આવી છે. ગળહ વિભાગ દ્વારા એક SOP પણ બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેને સકર્યુલેટ કરવામાં આવશે.
બનાવટી ડોકયુમેન્સ્ને નો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવનારા બાંગ્લાગદેશી નાગરિકોની ધરપકડનો ઉલ્લેખ કરતાં સરકારી સૂત્રોએ જણાવ્યુંર હતું કે, ડૉક્યુમેન્ટ રાખવાથી જાસૂસી અને દેશવિરોધી પ્રવૃત્તિ રોકવામાં મદદ મળશે. ગૃહ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે કર્મચારીઓના ડેટાને એક જ પ્લેાટફોર્મ પર રાખવા માટે ટેક્રોલોજીની મદદ પણ લેશે.
૨૬ એપ્રિલની રાત્રે અમદાવાદ પોલીસે ૮૯૦ ઈલીગલ બાંગ્લાેદેશી ઈમિગ્રન્સ્ર્મની ધરપકડ કરી હતી, જ્યા્રે સુરત પોલીસે ૧૩૪ લોકોની ધરપકડ કરી હતી. રાજ્યપના અધિકારીઓએ જણાવ્યુંહ હતું કે અટકાયત કરાયેલા લોકોમાં ચાર વ્યદક્તિ ઓ ગુનાહિત પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા હતા, જેમાં બે અલ-કાયદાના સ્લીયપર સેલ માટે કામ કરતો હોવાના શંકાસ્પયદ છે. ધરપકડ કરાયેલા ઘણા લોકો ખોટા દસ્તાાવેજોનો ઉપયોગ કરીને ગુજરાતમાં રહેતા હતા.