Covid-19: ભારતમાં ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાયો છે.
છેલ્લા પાંચ દિવસમાં 1700 નવા કેસ સામે આવ્યા છે અને 30 મે સુધીમાં દેશભરના કુલ કેસોની સંખ્યા 2710 થઈ ગઈ છે. આ સ્થિતિમાં કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં સક્રિય કેસોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.
દિલ્હીમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ
દિલ્હીમાં 60 વર્ષીય મહિલા, જેને અગાઉથી વિવિધ આરોગ્યસંબંધિત સમસ્યાઓ હતી, કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. આ નવી લહેર દરમિયાન દેશમાં નોંધાયેલી આ પહેલી મૃત્યુ છે.
રાજ્યવાર કેસની સ્થિતિ
કેરળ: 1147 કેસ (+355)
મહારાષ્ટ્ર: 424 કેસ (+153)
દિલ્હી: 294 કેસ (+24)
ગુજરાત: 223 કેસ
તમિલનાડુ: 148 કેસ
કર્ણાટક: 148 કેસ (+34)
અન્ય રાજ્યોમાં પણ કેસ નોંધાયા છે પરંતુ કેટલાક રાજ્યોએ હજુ સુધી કોઈ નવી કેસ કે મૃત્યુ નોંધાવ્યા નથી.
મૃત્યુઆંક અને રિકવરી
મહત્તમ મૃત્યુ: મહારાષ્ટ્ર (1,48,606), કર્ણાટક (40,412), તમિલનાડુ (38,086)
સૌથી વધુ રિકવરી: મહારાષ્ટ્ર (8,29,849), કેરળ (6,84,927), આંધ્રપ્રદેશ (2,32,635)
અપેક્ષિત પગલાં
કેસોમાં વધારાને પગલે આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો નવી ગાઈડલાઈન્સ અને સાવચેતીના પગલાં લઇ રહી છે. લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને જરૂરી રસીકરણ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી છે.