Anupam Kher: અનુપમ ખેરની આંખોમાં આંસુ, હૃદયમાં દુઃખ – વિમાન દુર્ઘટના પર ભાવુક સંદેશ
Anupam Kher: પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે શોકમાં ડૂબેલા પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરતા એક ભાવુક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ગુરવારે બપોરે એર ઈન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાને ભારતના ઇતિહાસની સૌથી ભયાનક હવાઈ આપત્તિઓમાંથી એક ગણાવી હતી. જેમાં કુલ 241 લોકોનું દુઃખદ અવસાન થયું. અનુપમ ખેરે વીડિયોમાં કહ્યું કે:
“આ દુર્ઘટના માત્ર એક ન્યૂઝ હેડલાઇન નથી, એ દુઃખનો એવો પહાડ છે, જેને ઘણા ઘરો તૂટી ગયા છે. એ વિમાન ફક્ત એક મશીન નહોતું. એ એક આશા હતી, જે ગતિમાં હતી. એ આશામાં માતાઓ બેઠી હતી, પુત્રો બેઠા હતા, પતિ-પત્ની, મિત્રો, કોઈ કાર્ય માટે જઈ રહ્યું હતું, કોઈ રજાએથી પાછું ફરી રહ્યું હતું. પણ કોઈને ખબર નહોતી કે એ યાત્રા તેમની છેલ્લી યાત્રા બનશે.”
‘હૃદય શાંત છે, આંખો ભીની છે’
વિડિયોમાં અનુપમ ખેર ભાવુક અવાજે આગળ કહે છે:
“મારું હૃદય શાંત છે, આંખો ભીની છે. આજે સમગ્ર દેશ એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ભગવાનને પ્રાર્થના છે કે એ તમામ આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનોને ધૈર્ય અને શક્તિ મળે.”
તેમણે વધુમાં કહ્યું:
“આજે ન તો ભાષા મદદરૂપ છે, ન તો તર્ક. ફક્ત એક વાત કહી શકું છું — અમે તમારી સાથે છીએ. આખી માનવતા તમારી સાથે છે. અને દેશ દરેક પીડિત પરિવારને સલામ કરે છે. ઓમ શાંતિ, નમન અને શ્રદ્ધાંજલિ.”
તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ વિડિયોનું શીર્ષક આપ્યું:
“અમદાવાદ વિમાન દુર્ઘટના – શ્રદ્ધાંજલિ! ઓમ શાંતિ.”
View this post on Instagram
દુર્ઘટનાની વિગત: 241 નિધન, ફક્ત એક બચ્યો
ગુરવારે બપોરે 1:38 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી લંડન-ગેટવિક માટે નીકળેલું એર ઇન્ડિયાનું વિમાન AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) થોડા સમય પછી જ નિયંત્રણ ગુમાવીને બી.જે. મેડિકલ કોલેજ નજીકના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું.
વિમાનમાં કુલ 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર્સ અને બે પાઇલટ સવાર હતા. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાન ધરાશાયી થતાં જ મોટી આગ લાગી ગઈ. બચાવ દળો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. દુર્ઘટનામાં માત્ર એકજ વ્યક્તિ બચી ગયો — ભારતીય મૂળનો એક બ્રિટિશ નાગરિક, જે 11A બેઠક પર બેઠો હતો. હાલ તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.