આખરે ચંદ્રયાન 2ની સાથે શું થયું અને વિક્રમ કેવી રીતે રસ્તો ભટક્યું. આ પર વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે. શરૂઆતમાં ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું હતું કે ઓછા થ્રસ્ટના કારણે આવું બન્યું હશે પણ હવે સમજાયું છે કે વધારે થ્રસ્ટના કારણે આવું થયું છે.
વિક્રમના લેન્ડિંગની થોડી મિનિટો પહેલાં જ ઈસરોના મિશન કંટ્રોલમાં સન્નાટો છવાયો હતો. થોડી વાર પહેલાં સુધી મિશન કંટ્રોલના આનંદદાયક માહોલની સ્થિતિ મજબૂત બની રહી હતી અને મિશનને સફળતા મળવામાં થોડી જ વાર હતી. છેલ્લી મિનિટે એવું શું થયું કે વિક્રમ ચંદ્રને મળી શક્યું નહીં. આ સમયે વિચારતા જાણવા મળ્યું છે કે આ સ્થિતિ થ્રસ્ટના કારણે જન્મી હતી.