Premanand ji Maharaj: પ્રેમાનંદ મહારાજના AI ફોટો વિવાદમાં આશ્રમની પ્રતિક્રિયા, FIR દાખલ, લોકો ને સાવચેત રહેવાની અપીલ
Premanand ji Maharaj: આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ ગોવિંદ શરણ ઉર્ફે પ્રેમાનંદ મહારાજના AI ટેકનોલોજી દ્વારા બનાવાયેલા ફોટા, વિડિઓ અને ઓડિયો કન્ટેન્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ બાદ પ્રેમાનંદ મહારાજના શિષ્યોએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને અત્યારસુધી અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ IT એક્ટની કલમ 299 અને 66C હેઠળ કેસ નોંધાયો છે. પોલીસ હાલમાં આરોપીઓને શોધી રહી છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે.
આશ્રમ તરફથી શું આવ્યું?
વાયરલ થયેલા AI ફોટા અને અન્ય કન્ટેન્ટને લઈને, શ્રી રાધા કેલી કુંજ આશ્રમે એક સત્તાવાર સલાહકાર જારી કરીને કહ્યું છે કે આ પ્રકારના કન્ટેન્ટ બનાવવો અને વાયરલ કરવો કાયદા અને શિષ્ટાચાર વિરુદ્ધ છે. આશ્રમ દ્વારા લોકોને સાવચેત કરી જણાવાયું છે કે તેઓ કોઈપણ અનધિકૃત AI ફોટા, વિડિઓ કે ઓડિયો પર વિશ્વાસ ન કરે અને તે કન્ટેન્ટને ન શેર કરે.
આશ્રમના નિવેદનમાં ખાસ કરીને અનુરોધ કરવામાં આવ્યો છે કે માત્ર આશ્રમના અધિકૃત અને ચકાસાયેલ સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા જ પ્રકાશિત માહિતી પર જ ભરોસો કરવો. સાથે જ, આ પ્રકારના દુર્ભાવનાપૂર્ણ કન્ટેન્ટ બનાવનારાઓ અને વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેવી પણ ચેતવણી આપી છે.
ફોટામાં શું છે?
વાયરલ થયેલા AI ફોટામાં પ્રેમાનંદ મહારાજ સૂતા દેખાય છે, જ્યારે રાધા રાણી તેમના પગ દબાવી રહી છે અને શ્રી કૃષ્ણ બારી બહાર જોઈ રહ્યા છે. ફોટામાં મોર અને બતક સાથેનું તળાવ પણ દેખાય છે. આ દ્રશ્યને અનુયાયીઓ તેમની આધ્યાત્મિક લાગણીઓનું ઉલ્લંઘન કરતું માને છે.
આવી ઘટનાઓ ધર્મ, શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીના સંજોગોમાં નવી જ ચિંતાઓ ઊભી કરે છે, અને કાયદાકીય તેમજ સમાજિક જવાબદારીની બોધશક્તિ પણ વધારતી હોય છે.