Iran Nuclear Facility: ઈરાનનો બુશેહર પરમાણુ પ્લાન્ટ, ગલ્ફ માટે સંકટનું કારણ
Iran Nuclear Facility: ઈરાનનો સૌથી ખતરનાક પરમાણુ મથક બુશેહર પાવર પ્લાન્ટ છે, જે દરિયાકાંઠે આવેલો છે અને ગલ્ફના પાણીને રેડિયેશનથી પ્રદૂષિત કરવાની શક્યતા ધરાવે છે. અહીં રેડિયેશન લીક થવાથી માત્ર ઈરાન જ નહીં, પરંતુ કતાર, બહેરીન, યુએઈ અને કુવૈત જેવા પાંચ ખાડી દેશો પણ ગંભીર જોખમમાં આવી શકે છે.
Iran Nuclear Facility: બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ ઈરાનનો એકમાત્ર કાર્યરત ન્યુક્લિયર રિએક્ટર છે. જો આ પ્લાન્ટ પર હુમલો થાય અને રેડિયેશન લીક થાય, તો સમુદ્રનું પાણી અને હવા પ્રદૂષિત થઈ જશે, જેથી લાખો લોકોના જીવને જોખમ રહેશે. ખાસ કરીને આ ક્ષેત્રના દેશો પીવાના પાણી માટે દરિયાના પાણી પર ભાર મુકતા હોય છે. ઉદાહરણ તરીકે, યુએઈના 80%થી વધુ પાણી અને કતાર તથા બહેરીન પૂરતી માત્રામાં તેના પર નિર્ભર છે.
ઈઝરાયલ અને અમેરિકા પહેલાથી જ ઈરાનના કેટલાક પરમાણુ મથકો પર હુમલા કરી ચૂક્યા છે, જેમ કે ફોર્ડો અને નતાન્ઝ, પરંતુ બુશેહર પર હુમલો ટાળી રહ્યો છે કારણ કે તે વધુ નાશક અને સંકટજનક સાબિત થઈ શકે છે.
યુનાઇટેડ નેશન્સના IAEAના ડિરેક્ટર રાફેલ ગ્રોસીએ પણ જણાવ્યું છે કે બુશેહર પર સીધો હુમલો ભારે રેડિયોએક્ટિવ અસર પેદા કરી શકે છે, જે સમગ્ર ગલ્ફ ક્ષેત્ર માટે પડકારરૂપ રહેશે.
ગલ્ફ દેશો માટે મોટી ચિંતાઓ
ગલ્ફના દેશો પૈકી કતાર, બહેરીન, યુએઈ અને કુવૈતનાં પીવાના પાણી માટે સમુદ્રના પાણીની ડિસેલિનેશન પર ખૂબ નિર્ભરતા છે. બુશેહર પર પરમાણુ દુર્ઘટના થવાથી આ દેશોના જીવન મર્યાદા માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
ન્યૂયોર્ક યુનિવર્સિટી અબુ ધાબીના પ્રોફેસર નિદાલ હિલાલના મત મુજબ, “કોઈ પણ પ્રકારની પરમાણુ કે કુદરતી આપત્તિ ખાડીના ડિસેલિનેશન પ્લાન્ટને અસર કરે તો લાખો લોકો પિવાના પાણીથી વંચિત રહી શકે.”