પ્રત્યર્પણ કાયદાના પ્રસ્તાવ અંગે હોંગકોંગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ ફ્રોગ માસ્ક પહેરીને વેપારી અને સાર્વજનિક સંસ્થાઓ સહિત ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી હતી. જેના કારણે શનિવારે હોંગકોંગમાં રેલવે સેવા પૂરી રીતે બંધ કરી દેવાઈ હતી.
સરકાર પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા અને નકાબ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચારણા કરી રહી છે. જેના વિરોધમાં હજારો લોકોએ નકાબ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 1લી ઓક્ટોબરે ચીને કોમ્યુનિસ્ટ સરકારની 70મી વર્ષગાંઠ દરમિયાન ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પોલીસની ગોળીથી એક 18 વર્ષીય પ્રદર્શનકારીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદથી આ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને તોડ ફોડ શરૂ કરી હતી.
રેલવે સ્ટેશનની મરામત કરવા માટે સેવા બંધ કરવામાં આવી
રેલવે પ્રશાસને કહ્યું કે, પ્રદર્શનકારીઓએ ઘણા જિલ્લાઓમાં રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી છે. અમે પોતાના સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સ્ટેશનોની મરામત માટે રેલવે સેવા બંધ કરી દીધા હતા. અમે કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે, તે સાવધાનીપૂર્વક નુકસાનીત થયેલા સ્ટેશન પર જાય અને નુકસાનની સમીક્ષા કરી તેને સુધારવાનું કામ શરૂ કરો.