Lord Shiva ની સામે ત્રણ વખત તાળી કેમ વગાડાય છે?

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

Lord Shiva ના દર્શનમાં તાળી વાગે ત્યારે શું થાય છે?

Lord Shiva : “તમે મંદિરમાં અવશ્ય જોયું હશે કે ભક્તો મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્રણ વખત તાળી વગાડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એનો અર્થ શું છે? જો નહિ, તો આવો, જાણીએ આ પ્રાચીન પરંપરા પાછળનો મહત્વપૂર્ણ અર્થ…”

Lord Shiva : મહાદેવની પૂજા પછી ભક્તો ત્રણ વખત તાળી કેમ વગાડે છે? હાલ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. શિવમંદિરોમાં જળ અર્પણ કે અભિષેક પછી અનેક ભક્તો ત્રણ વખત તાળી વગાડતા જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું હોઈ શકે? આવો જાણીએ ઉજ્જેનના આચાર્ય પાસેથી કે મહાદેવના સામેથી ત્રણ વખત તાળી વગાડવાનું શું ગુહ્ય રહસ્ય છે?

આ છે ત્રણ તાળીઓનો અર્થ

ઉજ્જેનના આચાર્ય અનુસાર, મહાદેવની ઉપાસના પછી વાગાડવામાં આવતી ત્રીણ તાળીઓનું વિશિષ્ટ મહત્વ છે:

Lord Shiva

  • પ્રથમ તાળી એ ભગવાન શિવને આપણી હાજરીનો સંકેત આપવી છે – “હું અહીં છું, મારા પર કૃપા કરો.”

  • બીજી તાળી એ પોતાની ઇચ્છાઓ તથા દુ:ખોને ભગવાન સમક્ષ વ્યક્ત કરવી છે – “હે મહાદેવ, મને દુ:ખોમાંથી મુક્ત કરો.”

  • ત્રીજી તાળી એ ભગવાનની શરણે આવવાનો સંકેત છે – “હું તમારી શરણે આવ્યો છું, મને આશીર્વાદ આપો.”

 દેવતાઓએ પણ વાગાડી હતી તાળી

પ્રાચીન માન્યતા મુજબ, લંકાના રાજા રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો. કહેવામાં આવે છે કે જ્યારે રાવણે ભોળેનાથની આરાધના કરી, ત્યારબાદ તેણે ત્રણ વખત તાળી વગાડેલી – જેના પરિણામે તેને લંકાનું રાજ મળી ગયું.

એ જ રીતે, ભગવાન રામ જ્યારે લંકા જવા માટે સમુદ્ર પર સેતુ બનાવવો હતો, ત્યારે તેમણે પણ શિવ પૂજન કર્યા બાદ ત્રણ વાર તાળી વગાડેલી. પરિણામે તેમનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું.

ભક્તો માટે શીખ

જો તમે પણ ભગવાન શિવના ભક્ત હો અને પૂજાની સંપૂર્ણ વિધિ-વિધાનથી આરાધના કરો છો, તો આ તાળી વગાડવાની પરંપરાને જરૂરથી શામેલ કરો. કહેવાય છે કે આ રીતે પૂજન કરવાથી ભગવાનની અપરંપાર કૃપા મળે છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તી થાય છે.

Lord Shiva

ક્યારે ન વગાડવી જોઈએ તાળી?

પંડિતજી કહે છે કે કેટલાક ભક્તો એવા હોય છે, જેઓ શિવમંદિરમાં કોઈપણ સમયે આવીને પૂજા-પાઠ પછી તાળી વગાડી દે છે – પણ એવું કરવું યોગ્ય નથી.
ભગવાનને પણ આરામનો સમય હોય છે. દરેક ક્ષણે તાળી વગાડવી એ શિસ્ત વિરુદ્ધ છે.

ભક્તોએ ખ્યાલ રાખવો જોઈએ કે તાળી વગાડવાનો એક શુભ સમય હોય છે – જયારે ભગવાન તમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તમારી પીડાઓ દૂર કરે છે. એ સમયે તાળી વગાડવી યોગ્ય માનવામાં આવે છે.

પરંતુ ભગવાનના વિશ્રામના સમય દરમિયાન તાળી વગાડવી શુભ માનાતી નથી અને એ ત્યજી દેવી જોઈએ.

TAGGED:
Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.