નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે, હવે 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. પવનના વકીલ એપી સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માગ્યો હતો. જેની પર કોર્ટે સુનાવણી ટાળી દીધી.
સુનાવણી ટાળ્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે હવે 24 જાન્યુઆરી સુધી પવનને ફાંસી આપવામાં આવશે નહીં. અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પવને પોતાને સગીર ગણાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યુ કે 2012માં તે સગીર હતો અને તેની સાથે કિશોર ન્યાય કાયદા હેઠળ વર્તન કરવામાં આવે.