નવી દિલ્હી : પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં હિન્દુ ખેલાડીની પજવણીની સત્યતા બહાર આવ્યા બાદ એક મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ શોએબ અખ્તરના ખુલાસાઓને સમર્થન આપ્યું છે.
દાનિશ કનેરિયાએ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ખેલાડીઓ મારી સાથે જમવામાં મુશ્કેલી અનુભવતા હતા. કારણ કે, તે ટીમમાં હિન્દુ ખેલાડી હતો. શોએબ અખ્તરે સાચું કહ્યું. હું એવા ખેલાડીઓનાં નામ જણાવીશ જેમને મારી સાથે વાત કરવાનું પણ પસંદ નહોતું. કારણ કે, હું હિન્દુ હતો. તે સમયે મારી પાસે આ બોલવાની હિંમત નહોતી, પરંતુ હવે હું બોલીને તેમના નામ કહીશ.
નોંધનીય છે કે, શોએબ અખ્તરે ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા હિન્દુ હતો, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.
Pak cricketer Danish Kaneria to ANI on Shoaib Akhtar's allegations that Pak players had problems eating with Kaneria as he's a Hindu:He told the truth. I'll reveal names of players who didn't like to talk to me as I was a Hindu. Didn't have courage to speak on it, but now I will. pic.twitter.com/HmeSUhtbUk
— ANI (@ANI) December 26, 2019
તેણે કહ્યું, ‘મારી કારકીર્દિમાં જે બે – ત્રણ વ્યક્તિ સાથે બોલાચાલી થઇ હતી. જ્યારે તેમણે કરાચી, પેશાવર અને પંજાબની વાત કરી ત્યારે હું ખૂબ જ ગરમ થતો. યાર કોઈ હિન્દુ છે ને તેને ગુસ્સો આવશે. એ જ હિન્દુએ ટેસ્ટ સિરીઝ જીતાડી હતી.
શોએબે કહ્યું, ‘આ મામલો ખુલશે. પરંતુ, તમને જણાવી દઉં કે કેટલાક ખેલાડીઓએ મને કહ્યું કે તે (દાનિશ) અહીંથી શા માટે ખોરાક લઈ રહ્યો છે. મેં તેને કહ્યું કે હું તને અહીંથી ઉપાડીને બહાર ફેંકી દઈશ. તમે તમારા ઘરના કેપ્ટન હશો. તે તમને 6-6 વિકેટ લઈને આપી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં, દાનિશ અને શમી એ જ અમને સિરીઝ જીતાડી હતી.