કેન્દ્રીય મંત્રિમંડળે બુધવારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કેન્દ્ર સરકારના નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા તથા નગર હવેલી અને દમણ તથા દીવના મુખ્યાલય દમણને બનાવવામાં આવ્યો. સાથે 200 સુધી નવા NIT (રાષ્ટ્રીય ટેકનીક સંસ્થા) કેમ્પસના નિર્માણ માટે પસાર સંશોધિત બજેટને મંજુરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘NITની રચના 2009માં થઇ હતી અને 2010-11ના શૈક્ષણિક વર્ષથી અસ્થાયી કેમ્પસમાં કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ કેમ્પસ ખૂબ મર્યાદિત સંસાધનો સાથે ચાલતુ હતુ. આ NIT 31 માર્ચ 2022થી સ્થાયી કેમ્પસમાં કામ કરવાનું શરૂ કરી દેશે.’
નાગરિકતા સુધારો કાયદો (CAA) અને રાષ્ટ્રીય વસ્તી નોંધણી (NPR)નો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સજ્જ બન્યું છે. NPRની આલોચના પર જાવડેકરે કહ્યું કે, જો કોંગ્રેસ NPR લાવે છે તો સારૂ છે,પરંતુ જો અમે NPR લાવીએ છીએ તો ખરાબ, આ કેવી રીતે થઈ શકે?
ભારતીય અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ પર તેમણે કહ્યું કે, કોઈ પણ ભારતીય અર્થવ્યવસ્થા વીશે નિરાશાજનક અભિપ્રાય ન રાખવો જોઈએ, અમારો પાયો ખૂબ જ મજબૂત છે. આર્થિક મંદીના પ્રશ્ને જાવડેકરે કહ્યું કે, 1 ફેબ્રુઆરીએ આવનારા કેન્દ્રીય બજેટમાં એક એક્શન પ્લાન હશે.