ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDSZ) અંગે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર ટીડીએસ કાપવા લાયક છે અને તે પાન કે આધારની જાણકારી શેર નથી કરી રહ્યો તો પગારમાંથી 20 ટકા ટીડીએસ કાપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના સર્કૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવા નિયમમાં આધાર નંબરને પણ સામેલ કરવામાં આવ્યો છે.
અગાઉ ટેક્સ સંબંધિત કામમાં ફક્ત પાન કાર્ડને જ સ્વીકારવામાં આવતું હતું, પણ ગયા વર્ષે સરકારે કહ્યું કે જો કોઈ પાસે પાન કાર્ડ ન હોય તો ટેક્સ સંબંધીત કામમાં આધારનો પણ ઉપયોગ કરી શકાય છે. નવા નિયમ હેઠળ જો કોઈ કર્મચારીનો પગાર 2.5 લાખ રૂપિયા સુધી હોય તો કોઈ ટેક્સ નહિં કપાય. વર્તમાનમાં 2.5 લાખ સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે અને 2.5-5 લાખ સુધી ઈન્કમ ટેક્સ લાગે છે.
તમામ પ્રકારની છૂટનો લાભ ઉઠાવ્યા બાદ જો પગાર 20 ટકા ટેક્સેબલ સ્લેબમાં આવે છે તો ટીડીએસ 20 ટકા જ રહેશે. 5 લાખથી 10 લાખ સુધી ઈન્કમ ટેક્સના દર છે. જો કોઈનો પગાર 30 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે અને તેણે પાન-આધાર જમા નથી કરાવ્યું તો ટીડીએસ કાપતા પહેલા એવરેજ ટેક્સના દર કાઢવા પડશે. જો એવરેજ ટેક્સ રેટ 20 ટકાથી વધુ આવે તો ટીડીએસ તે દરે કાપવામાં આવશે. પાનને આધાર સાથે લિંક કરવાની તારીખ વધીને31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે.