30 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ પર એકસાથે 22 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે નિકળશે. રિવરફ્રન્ટ પર દીક્ષા સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દીક્ષા સમારોહમાં એવી વ્યક્તિનું નામ છે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. 22 મુમુક્ષકો દીક્ષા લેવાના છે જેમાં મુંબઈના કલ્યામમાં રહેતી અને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાનો પણ સમાવેશ થાય છે.
મુંબઈમાં રહેતી ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચા દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે જશે. ઉષ્મા મંડલેચાએ ક્રિકેટમાંથી જે રીતે નિવૃતિ લીધી હતી તેવી જ રીતે સંસારમાંથી પણ નિવૃત્તિ લેશે. મહત્વની વાત છે કે, સુરતમાં એક સાથે ઐતિહાસિક રીતે 100 લોકો દીક્ષા લઈને સંયમના માર્ગે ચાલી રહ્યા છે.
પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાના પિતા જ્વેલરી ધંધામાં રીટેલ સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામ કરી રહ્યાં છે. પૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચાએ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ સહિતના 9 દેશો સામે મેચ રમી ચુકી છે.
દીક્ષા ગ્રહણ કરે તે પહેલા ઉષ્મા મંડલેચાએ જણાવ્યું હતું કે, મેં બીએમસીસી કોલેજમાંથી બિઝનેસ એડમિનીસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. ઈન્ટર કોલેજ, ડિસ્ટ્રીક્ટ લેવલ તેમજ મહારાષ્ટ્ર અને વેસ્ટ ઝોનની મહિલા ક્રિકેટ ટીમમાં પેસર તરીકે રમતી હતી. 9 દેશ સામે ક્રિકેટ મેચ રમી છું, પરંતુ અત્યારે જીવનમાં એક નવો વંળાક આવ્યો છે.
વધુમાં ઉષ્માએ જણાવ્યું હતું કે, હવે મેં સંસાર છોડવાનું નક્કી કર્યું છે કારણ કે જ્યારે ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંતના આશીર્વાદ લેવા માટે જતી ત્યારે શાંતિનો અહેસાસ થતો હતો અને જે અલગ અનુભવ થયો હતો. હું 22 વર્ષની હતી ત્યારથી મને દીક્ષાભાવ થયો છે. સાધ્વીજી ભગવંતોના આનંદનો અનુભવ કર્યો હતો અને જેના કારણે હું પણ એ જ માર્ગ ઉપર ચાલી નિકળી છું.