નરેન્દ્ર મોદી સરકારે ઈનકમ ટેક્સ ઓફિસરોને 100 ટકા ટારગેટ હાંસલ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે ઓફિસરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો તેઓ ટારગેટને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા તો તેમને પોસ્ટિંગ અને અપ્રેજલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના અધિકારી તરફથી 21 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા એક મેમોરેન્ડમમાં આ વાત કહેવામાં આવી છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યુ છે કે, ઓફિસરોના પ્રદર્શન જ તેમના ‘ભવિષ્યની પોસ્ટિંગ માટે મહત્લપૂર્ણ ફેક્ટર’ સાબિત થશે. આ મેમોરેન્ડમ વિશેષ રીતે ફીલ્ડ અધિકારીઓ માટે જાહેર કરવામાં આવ્યો છે.
મોદી સરકારે ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયાનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે. યોજના હેઠળ ટેક્સ ડિમાન્ડથી જોડાયેલા વિવાદોને 100 ટકા નિપટાવવા અથવા સમાધાનનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યુ છે કે, ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાના સંબંધમાં ફીલ્ડ અધિકારીઓના પ્રદર્શન ‘તેમના વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવામાં એક આવશ્યક પરિબળ હશે’
જણાવી દઈએ કે, ‘વિવાદથી વિશ્વાસ’ યોજનામાં કર, દંડ, વ્યાજ, ફી, ટીડીએસ અને ટીસીએસ આવા બધા પ્રકારના વિવાદોના સમાધાન માટે અરજી કરી શકાય છે. ચુકવણીના સંબંધમાં શરત છે કે, તે હેઠળ કરની 100 ટકા રકમ 31 માર્ચ સુધી જમા કરવી છે. સરકાર આ સ્કીમ દ્વારા તેના રેવન્યુમાં વધારો કરવા માંગે છે.