પીએમ મોદી આગામી માર્ચમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ, વડોદરા, કેવડિયા કોલોનીના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે અને અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અંગે મળતી માહિતી અનુસાર, પીએમ મોદીના કાર્યકર્મને ધ્યાનમાં રાખી તમામ સંબધિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવાઇ છે. બે દિવસના આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રોકાશે અને રાત્રિના સમયે રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત પણ કરશે.
તે ઉપરાંત વડોદરામાં કેન્દ્ર સરકારની કન્સ્ટ્રક્શન મજૂરો તથા અન્ય મજૂરો ઉપરાંત આવાસ યોજનાને લગતાં કાર્યક્રમોનું લોંચિંગ પણ વડાપ્રધાનના હાથે કરવામાં આવશે. ત્યારબાદ તેઓ કેવડિયા કોલોની ખાતે આવેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઊભાં કરાયેલાં નવા પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લેશે.