ભારતમાં અત્યાર કોરોનાના 50થી વધારે મામલાઓ સામે આવી ચૂક્યાં છે. કોરોનાવાયરસને આધારે જાગરૂકતાને લઇને સરકાર અને હેલ્થ એજન્સીઓ પણ કામ કરી રહી છે. તાજેતરમાં જ ટેલીકોમ કંપનીઓએ પણ કોરોનાવાયરસની જાગરૂકતાને લઇને ટ્યુન શરૂ કરી છે પરંતુ આ કોરોનાવાયરસ કોલર ટ્યુનથી કેટલાંક લોકો પરેશાન થઇ ગયા છે.
સોશિયલ મીડિયા પર કોરોના વાયરસવાળી કોલરટ્યુનને કેટલાંક લોકો મજાક બનાવી રહ્યાં છે. લોકોનું કહેવું એમ છે કે કોરોના વાયરસથી લોકો મરે કે ના મરે પરંતુ ઉધરસવાળી આ કોલરટ્યુન જરૂર લોકોને મારી નાખશે. જો આપ આ કોલરટ્યુનથી પરેશાન થઇ ગયા છો તો ચાલો અમે આને આજે બંધ કેવી રીતે કરવી તેનો આઇડીયા જણાવીશું.
હવે સવાલ એ થશે કે આ કોલરટ્યુનથી છુટકારો કેવી રીતે મળશે. તો જ્યારે પણ આપ કોઇને કોલ કરો તો કોરોનાવાયરસવાળી કોલર ટ્યુન શરૂ થઇ જાય છે ત્યારે આપ 1 અથવા તો # દબાવી દો. ત્યાર બાદ આ કોલરટ્યુન બંધ થઇ જશે અને રિંગનો અવાજ પણ આવવાનો શરૂ થઇ જશે. જો કે, આ ટ્રિક કેટલીક ટેલિકોમ કંપનીઓનાં નંબર પર કામ નહીં કરે.