રાજસ્થાનના જોધપુર જિલ્લામાં તોતિંગ ટ્રક બોલેરો ઉપર ફરી વળતા બોલેરો ગાડી નો કચ્ચરઘાણ બોલી ગયો હતો આ ભયનજ અકસ્માત માં ગાડી માં બેઠેલા એક જ પરિવારના 11 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો.
મૃતકોમાં છ મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના શનિવારે સવારે બની હતી અને અકસ્માત ને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
