અમદાવાદમાં આજકાલ ‘આકાશ સરકાર’નું નામ ભારે ચર્ચામાં આવ્યું છે અને મનપાના બે મોટા અધિકારીઓ ની સાંઠગાંઠ માં મોટા ખેલ કરવામાં આવી રહયા હોવાની ચર્ચા વ્યાપક બની છે અને ગેરકાયદે બાંધકામ વાળી મેટર માં આ આખું રેકેટ ચાલતું હોવાની વાતો બહાર આવી રહી છે.
કહેવાય છે કે આકાશ સરકાર ઈચ્છે તેનું બાંધકામ તોડાવી નાખે છે, કેટલાક કિસ્સાઓમાં ખંડણી ન મળે તો ડીમોલેશન કરાવાતું હોવાની વાતો ઉઠી છે અને પોલીસ બંદોબસ્ત પણ આકાશ ઈચ્છે તે રીતે મળતો હોવાની વાત પણ ભારે ચર્ચાનો વિષય બનતા એ મુદ્દો તપાસનો વિષય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની મીલી ભગતમાં ચાલતા આ વહેવાર અંગે શહેરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આ બે અધિકારી શા માટે આકાશ સરકાર ને સપોર્ટ કરી રહયા છે તે વાત હવે ઉપરી લાગતા વળગતા તપાસ કરાવે તો મોટા ગફલા બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટ્યો છે ત્યારે એક સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો હટાવવા માટે ખાસ ડીમોલીશન સ્કવોડ અસ્તિત્વમાં હતી.શહેરના કોઈ પણ વોર્ડ કે તેના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ હોય અથવા રસ્તા ઉપર દબાણો કરવામાં આવેલા હોય તો ડીમોલીશન સ્કવોડ દ્વારા જ તેને દુર કરવામાં આવતા હતા.વર્ષ-૨૦૦૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ સ્કવોડ અસ્તિત્વમાં હતી.બાદમાં આ સ્કવોડને વિખેરી નાંખી સ્કવોડની કામગીરી જે તે ઝોનને સોંપવામાં આવી હતી.
હાલમાં અનેક ગેરકાયદે બાંધકામો ઉભા થઈ ગયા છે ત્યારે આકાશ સરકાર કે જેનું પોતાનું જ ગેરકાયદે બાંધકામ હોવાની વાત છે તેની સામે પગલાં ભરવાને બદલે આકાશ કહે ત્યાં હથોડા મારવામાં આવી રહ્યા હોવાની વાત ભારે ચર્ચાનો વિષય બની છે ત્યારે આ અંગે સબંધિત વિભાગ તપાસ કરાવે તો મોટા કાંડ બહાર આવવાની શકયતા છે.