Ahmedabad: અમદાવાદ ના મેમનગર મા આવેલી સીબીએસઈ શાળા દિવ્યપથ માં ૧૦ મા ધોરણ મા ભણતા મન તેજવાણી નુ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના પ્રતિષ્ઠિત યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ, જેણે સમગ્ર ભારતમાંથી 3 લાખથી વધુ અરજદારોએ ભાગ લીધો તેમાંથી માત્ર 350 અરજદારો પસંદગી પામ્યા છે. જે મન તેજવાણી ની સિદ્ધિને અને દિવ્યપથ શાળા ને ખરેખર ગૌરવ અપાવે એવી છે.
દિવ્યપથ કેમ્પસના વિદ્યાર્થી, મન તેજવાની, તેના પ્રગતિશીલ શૈક્ષણિક રેકોર્ડ, અવકાશ સંશોધન માટેના જુસ્સા અને નવીન વિચારસરણી સાથે હજારો અરજદારોમાં અલગ હતા. તેની પસંદગી તેના સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે.
દિવ્યપથ કેમ્પસ મન તેજવાનીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને તેમના ભાવિ પ્રયાસોમાં તેઓ સફળતાની સિધ્ધી પાર કરે તેવી શુભેચ્છા પાઠવે છે.