—સત્યડે મીડિયા હાઉસના સીધા સવાલ––
—અમદાવાદમાં અનાજ માફિયાઓ અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવનારાઓ કોણ કોણ?
—ગરીબોના હકનું અનાજ બારોબાર ચાઉં કરી જવાનું સુનિયોજિત કૌભાંડ કોના ઈશારે ચાલે છે?
– તટસ્થ અને પારદર્શક તપાસ કરીને અસરકારક પગલાં ભરવાની જવાબદારી કોની?
-ગરીબોના હક્કનું આ અનાજ વેચી મારવાની આ ગેરકાયદે પ્રવૃત્તિથી સંલગ્ન વિભાગ અજાણ હોય અથવા આંખ આડા કાન કરી રહ્યો હોય એમ કહેવું અતિશયોક્તિ નથી તો આ વિભાગ સામે તપાસ કરવાની જવાબદારી કોની?
અમદાવાદમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે અને ગરીબોના હક્કનું અનાજ પોતાના ‘પાપા’ની પ્રોપર્ટી હોય તેમ બારોબર વેચી પોતાના ગજવા ગરમ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.
સમગ્ર વિસ્તારમાં જેટલા ઝોન લાગે એટલા ઝોનમાં સરકારી અનાજની કાળા બજારી ખુલ્લેઆમ ચાલી રહી છે અને સરકારી અનાજના ઠેકેદારો જે કોન્ટ્રાક્ટ લે છે એ પોતે જ આ કાળા બજારી કરી રહ્યા હોવાની ચર્ચા વ્યાપક બની છે.
આ આખા ખેલમાં કેટલાક કહેવાતા પત્રકારો પણ આ સરકારી અનાજના લાખ્ખોના કાળા કારોબારમાં મદદગારી કરી રહ્યા હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે અને તેઓ પણ ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવા આંખ આડા કાન કરવામાં ભાગ બટાઈનો ધંધો આદર્યો હોવાની વાત ભારે ચર્ચામાં આવી છે.
FCI અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને ઝોન વાઇસ અધિકારીઓ પણ અજાણ બની રહયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
હજુ થોડા સમય પહેલા જ સત્યડે ન્યૂઝના એક રિપોર્ટરે સીટીએમ પાસે સરકારી અનાજની દુકાન અભિષેક સસ્તા અનાજ ની દુકાન સીલ કરવામાં આવી તે દરમિયાન સત્ય ડે ન્યુઝના રિપોર્ટરે સ્થળ ઉપર જઈ રીપોર્ટિંગ કરતા ત્યાં હાજર અશોક ગુપ્તા નામના વ્યક્તિએ દારૂ પીધેલી હાલતમાં સત્યડે ન્યુઝ ના રિપોર્ટર સાથે માથાકૂટ કર્યા બાદ એ વ્યક્તિએ પ્રહલાદ મોદી જેઓ પોતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સગા ભાઈ છે તેમની જોડે ટેલિફોનિક વાત કરાવી હતી.
તે વખતે સરકારી અનાજની દુકાનનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
અમદાવાદમાં સસ્તા અનાજના કાળા બજારનો કાળો ચિઠ્ઠો ટૂંક સમયમાં પુરાવા સાથે પર્દાફાશ કરવામાં આવશે અને તેમાં સામેલ તમામના નામ જોગ યાદી જાહેર કરવામાં આવશે (ક્રમશ:)