અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સામાન્ય બબાલમાં હત્યાનો બનાવ બન્યો છે.
વિગતો મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા સૈજપુર ટાવર ની અંદર ચુનારા વાસમાં સામાન્ય વાતમાં એક વ્યક્તિની હત્યા થઈ છે.
સૈજપુર ટાવર સ્થિત ચુનારાવાસ નજીક એક એક્ટિવા સાથે બકરી અથડાતા તારીખ 13/7/2023 ના રોજ લગભગ સાંજના 5.30 કલાકે
જગદીશ વાલજીભાઈ ચુનારા અને દશરથભાઈ ચુનારા તેમજ દશરથ ભાઈના ત્રણ પુત્રો વચ્ચે મારામારી થતાં
જગદીશ વાલજીભાઈ ચુનારાને ગંભીર ઇજા થતાં તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં હતા
દરમિયાન આજે તારીખ 14/7/2023 નાં વેહલી સવારમાં જગદીશ ભાઈનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
પોલીસે દશરથ ભાઈ ચુનારા અને તેમના ત્રણ પુત્રોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.