અમદાવાદ ના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ગઈકાલે સાંજે એક આગ ની ઘટના બની હતી.આજે ફરી એક વખત અમદાવાદ ના રાણીપ પાસે આવેલ બલોલનગર ચાર રસ્તા પાસે એક કાર માં આગ લાગતા નાસભાગ મચી હતી.આગ ની માહિતી મળતાં ની સાથે ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.સદનસીબે કાર ચાલક સમયસૂચકતા રાખી બહાર નીકળી ગયો હતો અને મોટી જાનહાની થતા ટળી ગઈ હતી.