અમદાવાદમાં તા. 26મી જાન્યુઆરીના રોજ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેશનમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાનો પત્ર મળ્યા બાદ તપાસમાં આ પત્ર લખનાર માનસિક અસ્થિર મગજનો ઇસમ હોવાનું સામે આવ્યું છે તેની ઓળખ યુપીના બલિયા જિલ્લાના ઓમપ્રકાશ પાસવાન તરીકે થઈ છે.
અમદાવાદ પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં જણાવાયુ હતું કે, “કલ ૨૬ જાન્યુઆરી કો અમદાવાદ મેં તબાહી હી તબાહી હોગી. રોક સકો તો રોક લો. ગીતા મંદિર બસ સ્ટેન્ડ, લાલ દરવાજા, લાંભામાં બલિયાદેવ મંદિર, કાંકરિયા મેં બમ બ્લાસ્ટ હોને વાલા હૈ ૧૧ બજે”
આ પત્રમાં આ ઇસમે પોતાનું નામ અને નમ્બર પણ લખ્યા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થયેલી તપાસમાં નંબર બંધ આવતા
ઉત્તર પ્રદેશ પોલીસને ઇન્ફોર્મ કરાતા પોલીસે બલિયા જિલ્લાના ઓમપ્રકાશ પાસવાનને શોધી કાઢ્યો હતો અને તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુપી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાસવાન અને તેની પત્ની કોઈક માનસિક બીમારીથી પીડિત હતા અને તેઓએ આ પત્ર લખ્યો હતો.