અમદાવાદના ઘોડાસર ખાતે આવેલ AMC હસ્તક તળાવમાં એકા એક માછલી ઓના મોત થયા છે. વાદળછાયા વાતાવરણને લઇને ઓક્સિજનની માત્રા ઘટી જતા માછલી ઓના મોત થઈ રહ્યા છે. તળાવ કિનારે મૃત માછલીઓ આવી જતા અને અસંખ્ય માછલીઓ ઓકસિજનના અભાવે તરફડિયા મારતી હોવા થી તળાવ પાસે રહેતા નાગરિકોએ AMC તંત્રને જાણ કરી હતી. આ પહેલા પણ આ તળાવમાં ગંદા પાણીથી માછલી ઓના મોત થયા હતા.
Sunday, May 19