અમદાવાદમાં મોડી રાત્રે કાર લઈ નીકળી પડતા યુવકો હવે જોખમરૂપ બની રહયા છે,તાજેતરમાં ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાંજ કરી રાત્રે કેટલાક યુવાનો કાર લઈ નીકળ્યા અને કાર પલ્ટી મારી ગઇ જોકે સદનસીબે આસપાસમાં કોઈ વ્યક્તિ હાજર નહિ હોવાથી જાનહાની થઈ નથી,પોલીસે કારમાં સવાર ચાર યુવકોની ધરપકડ કરી છે.
અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર કાર ચાલકે કથિત રીતે નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા કાર પલ્ટી મારી ગઈ હતી.
રાજકમલ બેકરીની સામે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી દિવાલમાં ઘુસી હતી કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હોવાનું કહેવાય છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં સવાર યુવકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
કારમાં 4 યુવકો સવાર હતા, કારમાંથી બિયરની બોટલ પણ મળી હતી.
મળતી માહિતી અમદાવાદ માં મણીનગર જવાહર ચોક પાસે રાત્રે 12:30 ની આજુબાજુ ના સમયે ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા કાર ચાલક દ્વારા ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે.
કાર ચાલક કોણ હતું અને કાર માં ચાર જેટલા લોકો સવાર હતાં એ જાણવા મળેલ અને ગાડી માં થી બિયર ની બોટલ મળી આવેલ અને ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે,
પોલીસ ને અકસ્માત ની ઘટના ની માહિતી મળતા મણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.