અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આજે વહેલી સવારે 4.35 કલાકે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. છે.
આગની ઘટનાને પગલે જાણ થતાં જ ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી પણ બેઝમેન્ટમાં આગ લાગી હોય ધુમાડો બહાર નીકળી શકતો નહી હોવાથી જવાનોને ભારે મુશ્કેલી પડી હતી,હોસ્પિટલમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા નહી હોવાથી ધુમાડો બહાર નહિ જતા મુશ્કેલીઓ ઉભી થતાં ફેન ગોઠવી ધુમાડો બહાર કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે,હોસ્પિટલમાં રહેલા 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલ આનંદ હોસ્પિટલ તેમજ ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં રીફર કરાયા છે, જ્યારે હોસ્પિટલના બીજા માળે બે દર્દીઓ છે જેમની હાલત ગંભીર છે તેમને ICUમાંથી હટાવી શકાય તેવી સ્થિતિ નહી હોવાથી મુશ્કેલી ઊભી થઈ હતી આમ હજુ ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં હોવાના અહેવાલ છે.
ઘેરવ સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ તરફ આવતો બંધ કરવામાં આવ્યો છે. શાહીબાગ બ્રિજથી પણ રાજસ્થાન હોસ્પિટલ તરફ આવતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ત્યારે ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફોલ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.