અમદાવાદમાં એસજી હાઇવે ઉપર વેસ્ટગેટ પ્રોજેકટના બિલ્ડર મનીષ શાહે ધબેડી દીધેલા સૌથી મોટા ગેરકાયદે બાંધકામની વાત સામે આવવા છતાં તંત્ર ચૂપ બેઠું છે, એસજી હાઇવે ઉપર વેસ્ટગેટ ના ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવા મામલે તંત્રના ટાંટિયા ધ્રુજી રહયા છે, હમણાં જો નાનો માણસ કે સામાન્ય વ્યક્તિ હોત તો ક્યારનાય ઓટલા તોડીને બહાદુરી બતાવી હોત પણ અહીં આ મોટા બિલ્ડર સામે પંગો લેતા પાલિકાનો પનો ટૂંકો પડી રહ્યો છે.
અમદાવાદના એસ.જી.હાઇવે ઉપર વેસ્ટગેટ સાઈટના બિલ્ડર મનીષ શાહે
નિયમો વિરુદ્ધ બાંધકામ તાણી બાંધ્યુ હોવાછતાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી કાન્તનું આ મોટા ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરી રહયા છે અને બિલ્ડર મનીષ શાહના ખોળામાં બેસી ગયા છે.
વેસ્ટગેટના કોમર્શિયલ બિલ્ડિંગમાં હવે ઇ ટાવરનું બાંધકામ વિવાદ વેરી રહ્યું છે અને હાલ આ બાંધકામ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે.
તંત્રની મીઠી નજર કહો કે પછી મળતી મલાઈની કથિત વાતો વચ્ચે વેસ્ટગેટના ઈ ટાવરનું નિયમ વિરુદ્ધનું બાંધકામ ગાર્ડનની જગ્યામાં જ બાંધકામ શરૂ થયું છે.
વેસ્ટગેટના બિલ્ડર દ્વારા આ ગેરકાયદે બાંધકામ ઉભું કરવામાં આવતા આસપાસના લોકોમાં પણ કચવાટ ઉભો થયો છે.
અમદાવાદના સબંધિત વિભાગ આ પ્રોજેકટના ચાલી રહેલા અને બંધાઈ ગયેલા ગેરકાયદે બાંધકામ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે હવે આ ગેરકાયદે બાંધકામ અટકાવવા કોઈ આગળ નહિ આવતા અનેક સવાલો ઉઠી રહયા છે.
અમદાવાદમાં ડીસીપી ડેલું આવ્યા બાદ ગેરકાયદે બાંધકામો ઉપર હથોડા ઝીંકાઈ રહયા છે ત્યારે અમદાવાદ ના મોટા બિલ્ડર સામે કેમ પગલાં ભરાતા નથી તે વાત ચર્ચાસ્પદ બની છે. વેસ્ટગેટ પ્રોજેકટના ઇ ટાવરનું બાંધકામ કરવા બિલ્ડર મનીષ શાહ ને કોને પરમિશન આપી અને આશિર્વાદ છે તે પણ તપાસનો વિષય છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન ના એસ્ટેટ અધિકારી કાન્તનું શા માટે હજુ સુધી કાર્યવાહી નથી કરતા તેપણ એક સવાલ છે.
બિલ્ડર મનીષ શાહે ક્યાંક એસ્ટેટ અધિકારીઓ ને ગુલાબી નોટોના વરસાદ થી માલામાલ તો કર્યા નથીને ?તે વાત ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે. ત્યારે આ બિલ્ડર મનીષ શાહ ને કોણ નાથશે તેતો સમય જ કહેશે.