અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ની બાજુમાં આવેલ સોસાયટી ના કોમન પ્લોટમાં જ પ્લાસ્ટિક નો સેડ બનાવી કામચલાઉ કોવિડ હોસ્પિટલ બનાવવા માં આવી હતી.જેને લઈને જ્યેશ્વર સોસાયટી અને એલ.આર. એપાર્ટમેન્ટ ના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધ થતા હોસ્પિટલ ના માલિક ડો.રામપ્રકાશ કોઠારી અને તેના પત્ની દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા.
જાહેર આરોગ્ય નું ધ્યાન રાખ્યા વગર અને કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી કોવિડ ના નિયમોને નેવે મૂકીને હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.ત્યારે સમગ્ર ઘટનામાં તંત્ર ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ફાયર સેફટી અને એન.ઓ.સી. વગર કોવિડ હોસ્પિટલ ચલાવવા માટે પરમિશન આપવી કેટલી યોગ્ય છે ? તાજેતર માં જ અમદાવાદ ની શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાને કારણે કોવિડ ના 8 દર્દીઓ એ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નામ પૂરતા તપાસ ના આદેશ આપ્યા હતા અને તે કેસ માં નવરંગપુરા પોલીસ ની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા હતા કારણકે નવરંગપુરા પોલીસ દ્વારા સામાન્ય કલમો લગાડી ને ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી અને 8 લોકો ના જીવ ગયા હોવા છતાં હાલ આરોપી બિન્દાસ બહાર ફરી રહ્યો છે કારણકે હોસ્પિટલ નો માલિક ભાજપ નો નેતા છે. હવે સવાલો એ ઉભા થયા છે કે શ્રેય હોસ્પિટલ આગ કાંડ બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ ની આંખો ખુલતી નથી અને હવે શાહીબાગ ની શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલ માં પણ આવો બનાવ બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ બનાવ ને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ ના શાહીબાગ વોર્ડ ના પ્રમુખ સહિત ના લોકો પણ સોસાયટી ના રહીશો સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.