અમદાવાદમાં તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ ઉપર જેગુઆર કાર અડફેટે 9 લોકોની જિંદગી છીનવી લીધા બાદ હવે આવા બેફિકર થઈ કાર ચલાવનાર વંઠેલ ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હવે દંડાવાળી કરવાનું શરૂ કર્યું છે.
તથ્ય પટેલે અકસ્માત સર્જ્યા બાદ બીજો આવો બનાવ મણિનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં દારૂ પીને કેટલાક યુવાનો કારમાં સવાર હતા અને અકસ્માત સર્જ્યો હતો પણ તે વખતે રોડ ઉપર કોઈ નહિ હોવાથી જાનહાની ટળી હતી.
આથી પોલીસે સબક શીખવાડવા આરોપીની જાહેરમાં ધોલાઈ કરી હતી. દારૂ પીને ડ્રાઇવિંગ કરતા નબીરાઓની સાન ઠેકાણે લાવવા પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમા કેદાર દવે નામના યુવકે દારૂ પીને અકસ્માત કર્યો હતો. કેદાર દવેએ પૂરઝડપે કાર ચલાવીને કારને ઝાડના થડ સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.દારૂ પીને કાર હંકારતા કેદાર દવેની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત કર્યો હતો. કારચાલકે પૂરઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલટી મારી ગઈ હતી. જો કે, ઝાડને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી કારચાલકને પોલીસ હવાલે કર્યો હતો ત્યારબાદ પોલીસે તેઓની ધોલાઈ કરી હતી.