અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમય થી ટ્રાફિક નિયમોને લઈ સરકાર દ્વારા આકરા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જે નિયમોને લઈ ને પ્રજાજનો અનેક મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં અનેક ટી.આર.બી.જવાનો રૂપિયા ઉઘરાવતા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સઘળી હકીકત તો એ સામે આવી રહી છે કે અહીં અમદાવાદ શહેરના ટ્રાફિક કે ડિવિઝનના વહીવટદાર કરણસિંહ અને અજીતસિંહ દ્વારા ટાર્ગેટ આપી ને ટી.આર.બી જવાનો સાથે રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી હોવાનું એક ટી.આર.બી.જવાને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ શહેરના ટ્રાફિક કે ડિવિઝનમાં સૌથી વધુ ટ્રાફિક ટ્રાવેલ્સ,ટ્રાન્સપોર્ટ નો રહે અને આ બને ધંધા માં મસ મોટી મલાઈ મળતી હોવાથી જ છેલ્લા 6 વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ વહીવટદાર કરણસિંહ અને અજીતસિંહ ને બદલવામાં આવતા ન હોવાથી અનેક ઉપરી અધિકારીઓ ઉપર પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે કરણસિંહ અને અજીતસિંહ ને એવા તો કેવા અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે કે અહીં થી બદલી કરવામાં નથી આવતી.
ક્રમશઃ