અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત નિપજાવનાર તથ્ય પટેલની જેગુઆર કારનો કંપનીના હેડ ક્વાર્ટર યુકેથી આવેલા માઈક્રો રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
રિપોર્ટ મુજબ જ્યારે જેગુઆર કાર બ્રિજ પર હતી ત્યારે 137 KMની ઝડપ હતી અને કાર ચાલક તથ્ય પટેલે કારનું એક્સિલેટર પૂરે પૂરું દબાવેલું હોવાની વાત ખુલી છે, બીજું જ્યારે કાર લોકો સાથે ભટકાઈ ત્યારે તે ઓટોમેટીક લોક થઈ હતી ત્યારે કાર ઉભી રહી ગઇ તે સમયે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી.
તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો પ્રયાસ પણ નહોતો કર્યો તેવું જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.
આ રિપોર્ટ ઉપરથી તથ્યની માનસિકતા જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે તેમ હોવાનું સબંધિત વર્તુળોનું માનવુ છે.