અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શિક્ષક જ્યારે શાળામાં દાખલ થાય ત્યારે જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે.
આ શિક્ષકોને રિશેષ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવા છૂટ અપાઈ છે પણ ચાલુ શાળામાં તેઓ પોતાની સાથે ફોન લઈ વર્ગમાં જઈ નહિ શકે તેઓએ તેઓની ફરજ દરમિયાન માત્ર બાળકોને ભણાવવામાં જ ધ્યાન આપવાનું રહેશે.
શિક્ષકો તેમના મોબાઈલ ફોન શાળાઓમાં લઈ જઈ શકે છે પરંતુ તેઓએ તેને આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેઓ તેમના મોબાઈલ ફોન વિના વર્ગમાં પ્રવેશ કરશે.
આ નિયમનું કડક પાલન કરવું પડશે અને જો શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેઓ સામે દંડનીય કાર્યવાહી થશે.
સાથેજ જે તે શાળાના આચાર્યને પણ મોબાઈલ રજિસ્ટર જાળવવા કડક સૂચન કરવામાં આવ્યું છે.
સાથે સાથે બાળકોની સ્કૂલ બેગના વજનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.
અમદાવાદના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધુ ન રાખવા આદેશ કર્યો છે.
શિક્ષણ વિભાગના આ આદેશનો અમદાવાદના 2 હજાર સ્કૂલના 5 લાખ બાળકોને લાભ થશે.
જો કોઇ સ્કૂલ પરિપત્ર કે નિયમનો ભંગ કરે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.