અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલ મોલમાં અાવેલ દુકાનમાં લાગી ભીષણ આગ. લાખોનો સામાન બળીને થયો રાખ.
અમદાવાદના થલતેજ પાસે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા એક મોલમાં આવેલ ઇલેક્ટ્રિકની શોપમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી .આ ભયંકર આગમાં ઇલેક્ટ્રિકની શોપમાં રાખેલ ૫૦થી ૬૦ લાખનું ભારે નુકશાન પહોંચ્યું હતું.
આગને પગલે હાઈવે પર મોલ સાઈડ વાહનોની કતાર લાગી હતી. તો આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભારે જેહમત બાદ આગને કાબૂમાં કરવામાં આવી હતી આગનું કારણ જાણવા મળેલ નથી જે તપાસને અંતે જાણવા મળશે.
https://youtu.be/2CBabWaa01E