અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારના લો ગાર્ડન પાસે અનેક પાથરણા વાળા અને ખાણીપીણી ની લારીઓ વાળા ગેરકાયદેસર રીતે ઉભા રહી ને ધંધો કરી રહ્યા છે ત્યારે આવા લોકો પાસે થી નવરંગપુરા પોલીસ સ્ટેશન ના મુખ્ય વહીવટદાર જયેશ દેસાઈ કે જેની નોકરી કે કંપની માં બોલી રહી છે અને તેના દ્વારા પેટા વહીવટદાર તરીકે કનું ભરવાડ ને રાખવામાં આવ્યો છે તથા દેવસી દેસાઈ નામની વ્યક્તિ ને તેઓએ પ્રાઇવેટ વહીવટદાર તરીકે રાખવામાં આવ્યો છે જે આ બેઠેલા પાથરણા વાળા પાસેથી 500 રૂપિયા થી લઈને 10000 સુધીનું ઉઘરાણું શરૂ કર્યું હોવાની વાતને લઈ ને ચર્ચાઓ નું બજાર ગરમ બની ગયું છે.
છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા દર દિવાળીએ લારી ગલ્લા,પાથરણા વાળા અને મોટા વેપારીઓ જેવા કે આંગડિયા પેઢી,જવેલર્સ ના વેપારી તથા હોટલ માલિકો પાસેથી દિવાળી બોનસ પેટે ઉઘરાણું શરૂ કરતાં વેપારીઓમાં રોષ ફેલાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
છેલ્લા 6 મહિનાથી કોરોના મહામારીને પગલે અનેક લોકોના વેપાર ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ નવરંગપુરા પોલીસ સ્ટેશન ના વહીવટદાર દ્વારા દિવાળી નું ઉઘરાણું શરૂ કરતાં અનેક વેપારીઓ અને લારી ગલ્લા અને પાથરણા વાળાઓ દ્વારા નામ નહીં આપવાની શરતે સત્ય ડે ની ટીમ ને જણાવ્યું હતું કે આ તો અત્યારે ખાલી દિવાળી નું ઉઘરાણું શરૂ કર્યું છે પરંતુ અમારે રોજ અહીં ધંધો કરવો હોય તો રોજે જ રૂપિયા આપવા પડે છે,જો ના આપીએ તો અમને અહીં ધંધો કરવા દેવામાં આવતો નથી.જેથી આ વેપારીઓ એ સત્ય ડે ન્યૂઝ સમક્ષ આપવીતી ઠાલવી હતી ત્યારે ઉપરી અધિકારીઓ આ મામલે ખાનગી રાહે તપાસ કરે તે જરૂરી છે.