સરકારે કોરોના ગાઈડલાઈન સાથે મલ્ટીપ્લેક્ષ શરૂ કરવાની મંજૂરી આપી છે.પરંતુ ગાઈડલાઈનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે.જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતા નથી.આ કારણે થિયેટરમાં લોકોની સંખ્યા ઘટી છે.જેના કારણે શો રદ કરવાની સ્થિતિ ઉભી થાય છે.
સરકારે કોરોના ગાઈડલાઈનના અમલ સાથે મલ્ટીપ્લેક્ષ થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે.તેમ છતાં મોટાભાગના થિયેટરમાં લોકોની ઓછી સંખ્યાને કારણે શો રદ થઈ રહ્યા છે.
ઓલ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલીઝ થવાની શકયતા ઓછી છે.નવી ફિલ્મો રિલીઝ ન થવાથી લોકો થિયેટરમાં નથી આવી રહ્યા,જેના કારણે મોટાભાગના થિયેટર માલિકોએ હજુ પણ શો બંધ જ રાખ્યા છે.