અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે જેમાં GIDC આવેલી છે ત્યાં જ ઠેક ઠેકાણે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.આ વિસ્તારમાં જાણે કોઈ કાયદો કે પોલીસ વ્યવસ્થા ના હોય તેમ બુટલેગરો બિન્દાસ અને બેફામ બની ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યા છે.આ સંદર્ભમાં સ્થાનિક લોકોની ફરિયાદના પગલે સત્ય ડે ની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ ને જોતા આ બુટલેગરો અને તેના સાગરીતો જાહેરમાં ખુલ્લી જગ્યા માં જાણે ખાણી પીણી ની ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા હોય તે રીતે ખુલ્લેઆમ કોઈપણ જાતના ભય વગર દેશી દારૂનો વેપલો ચલાવતા નજરે પડી રહ્યા છે.જેને પગલે સ્થાનિક પોલીસ ની બુટલેગર સાથે મિલીભગત ની પોલ ખુલ્લી પડી છે.કારણકે પોલીસ પરમિશન વગર કોઈપણ બુટલેગર આટલા મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરી જ ન શકે.
એક તરફ ગુજરાત સરકાર દારૂબંધી ના મુદ્દે ખુબજ ગંભીરતા દાખવી રહી છે જેના પગલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસને મદદરૂપ થવાના અને દારૂ જુગારની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામવા માટે બ્રહ્મસ્ત્ર રૂપી ગુંડા એકટ લાગુ કરી છે.જેમાં દારૂ જુગારના અડ્ડા ના સંચાલકો સામે કડક કાર્યવાહી કરી પાસા કલમ હેઠળ જેલ ભેગા કરી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.પરંતુ રાજ્યસરકાર દ્વારા આટલું કરવા છતાં અમુક પોલીસકર્મીઓ અને અમુક અધિકારીઓ કે જે રાતોરાત માલદાર બની જવાની લ્હાયમાં દારૂ જુગારના બુટલેગરો અને સંચાલકો સાથે મિલીભગત કરી લે છે.જેથી બુટલેગરોને દારૂ જુગારના અડ્ડાઓ ચલાવવાનો છૂટોદોર મળી જાય છે.
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ GIDC ખાતે ના મુઠીયા ગામના રામદેવનગરના છાપરા પાસેના 2 બુટલેગરો નો દેશી દારૂનો ખુલ્લેઆમ અડ્ડો ચાલી રહ્યો છે જેથી એક વસ્તુ સાબિત થાય છે કે સ્થાનિક પોલીસની કામગીરી શંકાસ્પદ લાગી રહી હોય. કારણકે હાલમાં જ નરોડા પોલીસ સ્ટેશન ના પીઆઇ ની બદલી થઈ જતા તેમની જગ્યા હાલ ખાલી પડી છે અને જ્યાં સુધી નરોડા પોલીસ સ્ટેશન ના પીઆઇ ના મુકાય ત્યાં સુધી આ પોલિસ સ્ટેશન નો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ના પીઆઇ જે.આર.પટેલ ના હાથમાં છે.તો બીજી તરફ એક સવાલ એ પણ ઉભો થાય છે કે આ દેશી દારૂનો અડ્ડો કયા અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે.
બીજી તરફ વિડીઓમાં દેશી દારૂના અડ્ડા નો સંચાલક એવું પણ બોલી રહ્યો છે કે તમારે જે પોલીસ ને કહેવું હોય તેમને કહી દો અમે તો અહીં રોજ આ રીતે જ દારૂ વેચીએ છીએ,અમને કોઈ પોલીસ નહીં પકડે કારણકે અમે તો ભૂલ ભરણ આપીએ છીએ અને આ મામલે સમગ્ર પ્રકરણમાં સ્થાનિકો તરફથી મળતી માહિતી મુજબ આ બધા જ દારૂના અડ્ડા નરોડા પોલીસ સ્ટેશન ના વહીવટદાર ના આશીર્વાદ ના કારણે જ ચાલી રહ્યા છે.