અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોન નું એસ્ટેટ ખાતું અને પાલડી વોર્ડ નું ઈજનેર ખાતું એટલી હદે બિલ્ડરના ઘૂંટણિયે પડી જાય છે કે જાણે અધિકારીઓના પગાર જ આ બિલ્ડર ચુકાવતો હોય.
અમદાવાદના પાલડી વોર્ડમાં પ્રીતમનગર પાસે સુદામા રિસોર્ટ ની પાછળ શાંતિકૃપા રેસિડેન્સી નામની સ્કીમ બાંધવામાં આવી છે જેમાં આજદિન સુધી બી.યુ. પરમિશન આપવામાં આવેલ નથી તેમ છતાં બિલ્ડર નેહલ શાહ અને બાબુ શેઠ દ્વારા ગટર પાણીના કનેક્શન ગેરકાયદેસર જોડાણ કરી ને લોકોને રહેવા માટે આપી દેવામાં આવ્યા છે જેને લઈ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતા દ્વારા આજદિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી તથા તારીખ 11 જાન્યુઆરીના રોજ પાલડી વોર્ડના ઈજનેર ખાતા દ્વારા આ બિલ્ડર ને ગટર પાણીના ગેરકાયદેસર જોડાણ બાબતે નોટિસ આપવામાં આવી છે.
તેમ છતાં હજુ સુધી ઈજનેર ખાતા ના અધિકારી અનિલ પ્રજાપતિ દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.બીજી તરફ 28 ફૂટનો રોડ હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એસ્ટેટ ખાતાના અધિકારી ચૈતન્ય શાહ અને પાલડી વોર્ડના ઇન્સપેક્ટર રૂપલબેન ભગત દ્વારા 4 માળ નું બિલ્ડીંગ બાંધવાની પરમિશન આપી દેવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોન નું એસ્ટેટ ખાતું એટલી હદે ભ્રષ્ટ છે કે જે મધ્યમ વર્ગના વેપારીઓ છે તે લોકો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને તોડી પડવાનું અને આવા ગેરકાયદેસર બિલ્ડીંગ બાંધનાર બિલ્ડરો ભરપેટે રૂપિયા આપતા હોવાથી તેમના ઉપર કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેથી એક વાત એ સાબિત થાય છે કે આવા ભુમાફિયા બિલ્ડરોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું પશ્ચિમ ઝોન નું એસ્ટેટ ખાતું છાવરી રહ્યું છે અને પાલડી વોર્ડના એસ્ટેટ ટીડીઓ રૂપલ ભગત ને તો કાયદાનો કોઈજ પ્રકાર નો ડર ના હોય તેવી રીતે બિન્દાસ કહી રહ્યા છે કે આ બિલ્ડીંગ ગેરકાયદેસર હોવા છતાં પણ બિલ્ડર દ્વારા ચોપડે કાયદેસર કર્યું છે તો આ વાત કેટલી વ્યાજબી છે જો આ અધિકારીઓ ઉપર એસીબી દ્વારા કે વિજિલન્સ તપાસ કરવામાં આવે તો અનેક ગણી બેનામી સંપતિઓ મળી આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી હોવાનું સ્થાનિકો માં ચર્ચાઈ રહ્યું છે.