અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કેમિકલ ની ફેક્ટરીઓ ધમધમી રહી છે પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.આ ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીઓને લીધે અનેક આગના બનાવો પણ બનતા સામે આવી રહ્યા છે જેમાં ફાયર વિભાગ પણ પોતાની નિષ્ક્રિયતાની ભૂમિકામાં જોવા મળ્યું છે.
અમદાવાદના વટવા જીઆઇડીસી ફૅઝ2 માં રાજવી સિનેમા ની સામે ગુરુકૃપા નામનું હાઇડ્રોલિક એસિડ નું ગોડાઉન આવેલ છે જેમાં 3 દિવસ અગાઉ ધાબાનો સ્લેબ તૂટી પડતા અંદાજીત 80 થી 90 ટન જેટલું એસિડ રસ્તાની આજુબાજુમાં ઢોળાઈ ગયું હતું પરંતુ ગોડાઉનના માલિક મુકેશ પટેલ દ્વારા કોઈને જાણ ન થાય તેવી રીતે આખા રોડ ઉપર રેતી અને ચૂનો પાથરી દીધેલ હતો જેથી આ વાત ની કોઈ ને જાણ ન થાય.
આ બાબતને લઈ ને સ્થાનિક રહીશ દ્વારા નામ નહીં આપવાની શરતે સત્ય ડે ની ટીમ ને જણાવેલ કે આ હાઇડ્રોલિક એસિડ એટલું બધુ ગંભીર છે કે અમારે અહીંથી નીકળીને આજુબાજુમાં જવું હોય તો પણ જઈ શકતા નથી અને વારંવાર વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરવા છતાં પણ અહીં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સવાલ તો એ પણ ઉભા થાય છે કે આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એસિડ નો જથ્થો રાખવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી છે કે કેમ ? અને પરમિશન આપવામાં નથી આવી તો કોના ઈશારે આ ગોડાઉન ધમધમી રહ્યું છે.જો આ ગોડાઉનમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે.સ્થાનિક લોકોનું કહેવું એ પણ હતું કે આ ગોડાઉન નો માલિક મુકેશ પટેલ મોટી રાજકીય વગ ધરાવતો હોઈ પોલીસ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમના ઉપર કાર્યવાહી કરતા નથી એટલે જ માલિક મુકેશ પટેલ ને કોઈજ પ્રકારનો ડર નથી.
આ બાબતને લઈ ને સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા ગૃરુકૃપા એસિડના ગોડાઉનના માલિક સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમને જણાવેલ કે હું બહારગામ છું અને તમારે ઇન્ટરવ્યૂ લેવો હોય તો મારા પાર્ટનર ભાવેશ પટેલ નો લઈ શકો છો જેથી તપાસ કરતા જાણવા મળેલ કે મુકેશ પટેલ નો કોઈ ભાગીદાર છે જ નહીં પરંતુ રાજકીય વગ ના આધારે કોઈ પણ વ્યક્તિ ને વાત કરાવી ને પત્રકારો ને ડરાવવાની વાત કરતો હોય તેવું વલણ મુકેશ પટેલ કરી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ગોડાઉન ના માલિક ઉપર શુ કાર્યવાહી કરે છે અને ભાવેશ પટેલ કોણ છે તેની પણ તપાસ થવી જરૂરી બની છે જેથી સાચી હકીકત બહાર આવે.